Posts

Showing posts from November, 2023

ખેરગામના પોમાપાળ બરમદેવ મંદિરે હવન તથા સત્યનારાયણ કથા યોજાઈ.

Image
  image courtesy: Jignesh patel ખેરગામના પોમાપાળ બરમદેવ મંદિરે હવન તથા સત્યનારાયણ કથા યોજાઈ. ખેરગામના પોમાપાળ ખાતે આવેલું બરમદેવના મંદિરે ગામના લોકો સુખી રહે હળી મળીને રહે અને ગામનો ઉદ્ધાર થાય તેવા હેતુથી દેવ દિવાળીના દિવસે હવન સમૂહ સત્યનારાયણની કથા પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ દેવ દિવાળીના દિવસે સવારે હવન ત્યારબાદ સમૂહ સત્યનારાયણની કથા દિલીપ મહારાજ દ્વારા વેદિક મંત્રોચ્ચાર ઉચ્ચારી પૂજા અર્ચના સંપન્ન કરાવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સુરેશભાઈ બી પટેલ, ભીખુભાઈ જી.પટેલ, સુમનભાઈ બી.પટેલ, પંચાયત સભ્ય સુરેશભાઈ મહેશભાઈ મિઠ્ઠલભાઈ, બલ્લુભાઈ જી. પટેલ, હિતેશભાઈ, ધર્મેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ ભારે જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

મિત્ર સોલી આદમના નવા બંગલાનું ઉદ્ઘાટન કરવા સુનિલ ગાવસ્કર સિમલક ગામે આવ્યા.

Image
image courtesy: Instragram  મિત્ર સોલી આદમના નવા બંગલાનું ઉદ્ઘાટન કરવા સુનિલ ગાવસ્કર સિમલક ગામે આવ્યા. View this post on Instagram A post shared by Sunil Gavaskar (@gavaskarsunilofficial) નવાબને કારણે સચીન રેલવે સ્ટેશન નામ અપાયું રેલવે દ્વારા કોઇ પણ રેલવે સ્ટેશનનું નામ નક્કી કરવામાં આવે તો રેવન્યુ રેકર્ડ પર તે જમીનની નોંધણી કયા વિસ્તાર તરીકે થયેલી છે તેના આધારે નામકરણ કરવામાં આવતું હોય છે. તેવી જ રીતે સચિન રેલવે સ્ટેશનનો વિસ્તાર રેવન્યુ રેકર્ડ પર કનસાડના નામે નોંધાયેલો હોવાથી રેલવેએ કનસાડ રેલવે સ્ટેશન નામ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ સચીનના નવાબે તે રેલવે સ્ટેશનનું નામ સચીન આપવાની વાત કરતા આખરે રેલવે તંત્રએ સચીન રેલવે સ્ટેશન નામ આપ્યું હતું. વર્ષ1983ના ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર, વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ બેટસમેન સુનિલ ગાવસ્કર ગઈકાલે નવસારી જલાલપોર તાલુકાના સિમલક ગામના વતની અને લંડનના મિત્રના ઘરનું ઉદ્ઘાટન કરવા સિમલક પહોંચ્યા હતા. લંડનમાં વર્ષોથી રહેતા મૂળ સિમલકના ક્રિકેટ પ્રેમી સોલી ઉર્ફે સુલેમાન આદમ, સુનિલ ગાવસ્કર સાથે 1971 થી મિત્રતા ધરાવે છે. ક્રિ...

વંચિત સમાજના ઉત્થાન માટે સમર્પિત સમાજ સુધારક : મહાત્મા જ્યોતિરાવ ફૂલે

Image
  image courtesy : google મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પુણ્યતિથિ પર તેમને કોટી કોટી નમન જ્યોતિરાવ ગોવિંદારાવ ફૂલે (11 એપ્રિલ 1827 - 28 નવેમ્બર 1890) મહારાષ્ટ્રના ભારતીય સામાજિક કાર્યકર, ઉદ્યોગપતિ, જાતિ વિરોધી સમાજ સુધારક અને લેખક હતા. તેમનું કાર્ય અસ્પૃશ્યતા અને જાતિ પ્રથા નાબૂદી અને મહિલાઓ અને દલિત જાતિના લોકોને શિક્ષિત કરવાના તેમના પ્રયાસો સહિત ઘણા ક્ષેત્રોમાં વિસ્તરેલ છે. તેઓ અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફુલે ભારતમાં સ્ત્રી શિક્ષણના પ્રણેતા હતા. 1848માં પૂણેમાં જ્યોતિબા ફૂલેએ તાત્યાસાહેબ ભીડેના નિવાસસ્થાન અથવા ભીડેવાડા ખાતે કન્યાઓ માટે તેમની પ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે તેમના અનુયાયીઓ સાથે મળીને સત્યશોધક સમાજ (સત્ય શોધકોનો સમાજ) ની રચના કરી. ) નીચલી જાતિના લોકો માટે સમાન અધિકાર પ્રાપ્ત કરવા. તમામ ધર્મ અને જાતિના લોકો આ સંસ્થાનો એક ભાગ બની શકે છે જેણે દલિત લોકોના ઉત્થાન માટે કામ કર્યું હતું. ફુલેને મહારાષ્ટ્રમાં સામાજિક સુધારણા ચળવળમાં મહત્વની વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. માનનીય મહાત્મા (સંસ્કૃત: "મહાન-આત્મા", "આદરણીય એક"), 1888 માં મુંબઈમાં તેમના સન્માનમાં એક ખાસ કા...

ધરમપુર તાલુકાના ઓઝર ખાતે ભારતીય બંધારણ દિવસ ઉજવણી મહોત્સવ યોજાયો.

Image
 ધરમપુર તાલુકાના ઓઝર ખાતે ભારતીય બંધારણ દિવસ ઉજવણી મહોત્સવ યોજાયો. જેમાં  ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયા તથા ધરમપુરનાં સામાજિક કાર્યકર આગેવાન કમલેશભાઈ પટેલની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સૌ પ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ઉપસ્થિત આગેવાનો દ્વારા ડૉ.બાબા સાહેબ અને ભારતીય બંધારણ વિશે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.  ભારત દેશ આઝાદ થયા પછી શિક્ષણ- કાયદા શાસ્ત્રી પ્રસિદ્ધ ડૉ બાબા સાહેબ આંબેડકરે ભારત રાષ્ટ્ર માટે બંધારણનું સર્જન કર્યું હતું જે 26 નવેમ્બર 1949 ના દિવસે સ્વીકારાયું હતું  જેની સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવણી થાય છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. ૨૬/૧૧ રાષ્ટ્રીય કાયદા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ધરમપુર શહેર ખાતે ડો બાબા આબેડકર ચોક પાસે આબેડકર ની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ સંવિધાન દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ.

Image
  ધરમપુર શહેર ખાતે ડો બાબા આબેડકર ચોક પાસે આબેડકર ની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ સંવિધાન દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ. ધરમપુર તા ધરમપુર શહેરના મ્યુઝિયમ ત્રણ રસ્તા પાસે આવેલા બાબા આબેડકર ચોક પાસે આજરોજ ધરમપુર આદિવાસી સમાજનાં યુવા આગેવાનો કલ્પેશ પટેલ તથા યોગેશભાઈ પટેલ કમલેશભાઇ પટેલ સહિત યુવાનો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ બાદ સંવિધાન દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ તા પંચાયતનાં સદસ્ય કલપેશ પટેલે જણાવ્યું હતું કે ડો બાબા આબેડકરનાં બનાવેલાં સંવિધાનને કારણે આદિવાસી સમાજ આજે અડીખમ ઉભો છે અને જેનાં કારણે સમાજને આરક્ષણ સહિત અનેક કાયદાઓ અમલમાં મૂકતાં ગામમાં પંચાયત પેશા એકટ કાયદો તથા રૂઢી ગ્રામસભા સહિતનાં કાયદાઓની જોગવાઈ તથા આદિવાસી સમાજને આરક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી આજે આદિવાસી સમાજ બાબા આબેડકર સાહેબનું રુણી છે એમ કહી સંવિધાનનાં દિવસે બાબા સાહેબ આંબેડકરને યાદ કરી આદિવાસી સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

ધરમપુરનાં બામટી ખાતે ભારતીય મૂળનિવાસી સંઘ દ્વારા ભારતીય બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો.

Image
26-નવેમ્બર-2023ના દિને ધરમપુરનાં બામટી ગ્રામપંચાયત હોલ (લાલ ડુંગરી) ખાતે ભારતીય મૂળનિવાસી સંઘ દ્વારા  ભારતીય બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં ભારતીય મૂળનિવાસી સંઘના હોદ્દેદારોએ ડૉ. બાબા સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ  કરવામાં આવી. ત્યારબાદ ધરમપુરનાં સામાજિક આગેવાન  હિરેન પટેલે ડૉ.બાબા સાહેબ  દ્વારા રચાયેલા ભારતીય બંધારણ વિશે વ્યાખ્યાન આપ્યું હતું જેના અંશો અહીં લેખિત સ્વરૂપે રજૂ કર્યા છે. 26 નવેમ્બર 1949 ડો બાબા સાહેબ આંબેડકર લોકશાહી  બંધારણ ડો.રાજેન્દ્રપ્રસાદ,પંડિત જવાહરલાલ નહેરુ,તથા સરદાર પટેલને સુપ્રત કર્યું હતું અને 26 જાન્યુઆરી 1950 થી ભારતના પ્રજાસત્તાક લોકશાહી બંધારણનો  અમલ શરૂ થયો હતો.  જે પ્રજા દ્વારા, પ્રજા માટે અને પ્રજાની સરકારને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખ આપીને આપણે દર વર્ષ ઉજવણી કરીએ છીએ.  ભારતના લોકતંત્ર બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર હતા.ભારતના બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય,તથા ભાઈચારા આધારિત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવું એ બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે,ભારતનું બંધારણ દુનિયાના સર્વશ્રેષ્ટ બંધારણ તરીકેની  ગણના થાય છે....

ખેરગામ ખાતે બંધારણનાં ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પણ.

Image
  ખેરગામ ખાતે બંધારણનાં ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પણ. 26 નવેમ્બર હાલ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના કરુણાંતિકા માટે જાણીતી છે પરંતુ ભારત દેશ આઝાદ થયા પછી શિક્ષણ- કાયદા શાસ્ત્રી પ્રસિદ્ધ ડૉ બાબા સાહેબ આંબેડકરે ભારત રાષ્ટ્ર માટે બંધારણનું સર્જન કર્યું હતું જે 26 નવેમ્બર 1949 ના દિવસે સ્વીકારાયું હતું  જેની સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવણી થાય છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. ૨૬/૧૧ રાષ્ટ્રીય કાયદા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે.  ખેરગામ ખાતે બાબા સાહેબની પ્રતિમાને ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, માજી ઈ.સરપંચ કાર્તિક પટેલ,માજી જિ.પંચાયત સભ્ય પ્રશાંત પટેલ મંગલ, જગદીશભાઈ પટેલ, આશિષ ચૌહાણ, ચેતનભાઈ પટેલ, હિરેન પટેલ, પંકજ મોદી, રીન્કુ આહીર અને રમેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ ફૂલહાર અર્પણ કરી બાબાસાહેબની સ્મૃતિમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

વલસાડ ખાતે તારીખ ૩જી ડિસેમ્બરના રોજ ફ્રી ડિસેબિલિટી ઓપરેશન ચેક-અપ,નારાયણ કૃત્રિમ અંગો અને કેલિપર્સ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન.

Image
  વલસાડ ખાતે તારીખ ૩જી ડિસેમ્બરના રોજ ફ્રી ડિસેબિલિટી ઓપરેશન ચેક-અપ,નારાયણ કૃત્રિમ અંગો અને કેલિપર્સ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન.   વલસાડ શહેરના શ્રી સૌરાષ્ટ્ર  કડવા પાટીદાર સેવા સમાજ વાડી  રાષ્ટ્રીય હાઈવે નંબર -૪૮  ધરમપુર ચોકડી વલસાડ ગુજરાત ખાતે 3જી ડિસેમ્બર, 2023 ના રોજ ફ્રી ડિસેબિલિટી ઓપરેશન ચેક-અપ, નારાયણ કૃત્રિમ અંગો અને કેલિપર્સ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે અને તે એવા તમામ વિકલાંગ ભાઈઓ અને બહેનો માટે ખુલ્લું છે જેઓ અંગો વિના જીવી રહ્યા છે.  સંસ્થા દ્વારા નવા કૃત્રિમ અંગોની ભેટ ખાસ કરીને વિકલાંગોને તેમના પગ પર ઊભા થવાની અને ફરીથી સામાન્ય જીવન જીવવાની આશા આપશે. વધુમાં વધુ સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લેવા વિનંતી. વધુ માહિતી માટે  ઉમિયા સોશિયલ ટ્રસ્ટ - વલસાડનો સંપર્ક  કરવો.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા જતાવી.

  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા જતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડીપફેક વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ ચિંતાનો વિષય છે. તેમણે ChatGPT ટીમને ડીપફેક વીડિયોને ફ્લેગ કરવા અને આવા વીડિયો ઈન્ટરનેટ પર સર્કુલેટ થવા પર ચેતાવણી આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું હતું કે મીડિયાએ લોકોને આ મુદ્દે શિક્ષિત કરવા જોઈએ. ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આ યુગમાં કોઈપણ તસવીર, વીડિયો અને ઓડિયોને સંપૂર્ણપણે અલગ બનાવવા માટે એની સાથે છેડછાડ કરી શકાય છે. હાલમાં જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં આધારિત સાધનોનો ઉપયોગ કરીને અભિનેત્રી રશ્મિકા મંદનાનો ડીપફેક વીડિયો વાઇરલ થયો હતો ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું. ડીપફેક અશાંતિ પેદા કરી શકે છે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ડીપફેક અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું હતું કે ડીપફેક સમાજમાં ભારે અશાંતિ પેદા કરી શકે છે. જનરેટિવ AI દ્વારા બનાવવામાં આવેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં એક સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવું જોઈએ કે એ ડીપફેકનો ઉપયોગ કરીન...

વાંસદાના તોરણીયા ખાતે આદિવાસી સમાજે ડુંગરદેવની પૂજા કરી પૂર્વજોની પરંપરા જાળવી રાખવા નિર્ધાર કર્યો.

Image
  વાંસદાના તોરણીયા ખાતે આદિવાસી સમાજે ડુંગરદેવની પૂજા કરી પૂર્વજોની પરંપરા જાળવી રાખવા નિર્ધાર કર્યો. વાંસદા તાલુકાના ગોદાબારી ગામે આવેલા તોરણીયા ડુંગરની તળેટીમાં જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના નવસારી જિલ્લા સંસ્થા દ્વારા તોરણીયા ડુંગર ખાતે આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવવા માટે તોરણયા ડુંગર આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવમાં ડુંગરદેવની પૂજા કરવામાં આવી હતી અને પૂજા પદ્ધતિ પરંપરા વેશભૂષા ખાનપાન અને નૃત્યને જાળવવા માટે અને પૂર્વજોની મહાન પરંપરાઓને ઉજાગર રાખવા માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક સમાજનાવિવિધ વાજિંત્રો નૃત્ય વેશભૂષા સાથે ગોધાબારી હનુમાન મંદિરથી તોરણીયા ડુંગર સુધી ખૂબજ મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.  આ સાથે આજ દિવસે આદિવાસી સમાજના વ્યંજનો કોદરાની પેજી, તુવેરના બફાણા, ખાટીભાજીની દાળ, કોળા દાણાનું શાક, દેશી ચટણી, ઢેકળા, અડદની દાળ, નાગલી ચોખાના રોટલા,કોળાના પાનગા, કંદમૂળ દેશી ઔષધી અને ઉબાડયાનો સ્વાદ લોકોએ માણ્યો હતો.  આ પ્રોગ્રામમાં અખિલ ભારતી...

ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
       તા.25/11/2023 ની રાત્રે ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. જે  રાકેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા વાંસદા વિધાનસભાના  માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ પ્રકૃત્તિ પૂજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ શરુઆત કરવામાં આવી હતી. જેમાં નાના નાના બાળકો એ વિવિધ કૃતિઓ રજૂ કરી  ઉપસ્થિત લોકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. આયોજન કર્તા તમામ મિત્રોને મહારૂઢિ ગ્રામસભા નવસારીના અધ્યક્ષ રમેશ પટેલના હસ્તે ભારતીય સંવિધાનની બુક અર્પણ કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રીબેન, ધરમપુર તાલુકા પંચાયત  સદસ્ય કલ્પેશ પટેલ, ડૉ.અનિલ પટેલ, તુષાર પટેલ,ચણવઈ ગામના આગેવાન હિરેન ભાઈ,અને એમના સાથી મિત્રો, ખેરગામના સરપંચ શ્રી ઝરણાંબેન, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ, મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ઉનાઈ સરપંચ શ્રી મનીષભાઈ, યોગેશ પટેલ, પીપલખેડ ગામના સામાજિક આગેવાન ભગવતીબેન, ગડી ગામના આગેવાન ચેતન ચૌધરી, વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ, વિજયભાઈ કટારકર રૂમલા, સ...

ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું.

Image
  ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો વિતરણ કરાયા ખેરગામ,ખેરગામ તાલુકાના વાડ ગામ ખાતે આવેલ રામજી ભૂતબાપાના મંદિરે આજે ગુરૂવાર ના રોજ ૨૩મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં પૂજા હવન કર્યા બાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન પાછલા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.અને મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ રક્તદાન પણ કરવા માટે  ઉમટી પડી હતી.જેમાં 296 જેટલી બોટલ એકત્રિત થઈ હતી.રક્તદાન કરનારા રક્તદાતાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે બાઈક તેમજ સાયકલ જેવા ઈનામો રાખવામાં આવ્યા હતા. જ્યારે તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે નાના પાણીના કુલરો પણ આપવામાં આવ્યા હતા.સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેનો પણ વાડ ગામના લોકોએ લાભ લીધો હતો આ પાટોત્સવને સફળ બનાવવા ગામના આગેવાન ચેતન પટેલ,દિનેશ પટેલ તેમજ અન્ય આગેવાનો અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ ખેરગામ મામલતદાર દલપતભાઈ તેમજ ખેરગામના પીએસઆઈ ડી.આર.પઢેરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લક્કી ડ્રોમાં રકતદાન કરનાર કુણાલ બી પટે...

તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.

Image
તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.  ઉષાબેનની સફળતાનનું શ્રેય સોસિયા પ્રાથમિક શાળાના શિક્ષક  ગોહિલ પ્રદીપસિંહ સુખદેવસિંહ અને આઈ. એસ. પરમાર તથા શાળા પરિવારના ફાળે.  કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના  નાનકડા એવા સોસિયા ગામની દીકરીએ સાબિત કરી દીધું છે. વિકલાંગ પિતાની દીકરીએ રસલીંગમા અનેક દેશોની સમક્ષ છોકરીઓને પછડાટ આપીને વિશ્વ ચેમ્પિયન બની છે. પહેલા રાજય,રાષ્ટ્રીય અને વિશ્વ લેવલે ગોલ્ડ મેડલ લાવીને અહીંની શાળા સહિત તળાજા પંથકમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ છે.જેમને આ સંદેશ આપ્યો છે. રશિયા મુકામે યોજાયેલ વર્લ્ડ ચેપલીંગ રેસલિંગ) ચેમ્પિયનશીપમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું અને સોસિયા ગામનું ગૌરવ વધારનાર બારૈયા ઉષાબેન મનજીભાઈ કે જેઓનું પ્રાથમિક શિક્ષણ સોસિયા પ્રાથમિક શાળામાં કર્યું. ધોરણ ૧ થી ૬ સુધીના અભ્યાસમાં ખો-ખો અને એથ્લેટિક્સમાં ખૂબજ સારું પ્રદર્શન કરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં ટ્રાયલ આપી પસંદ થયેલ. જેમાં તેઓને દેવગઢ બારિયા DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન મળેલ....

વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે.

Image
  વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે. સ્વામી વિવેકાનંદ માઉન્ટેરીંગ સંસ્થાને સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલય ટ્રેકીંગમાં માઉન્ટ ફેન્ડશીપ પીક હાઈટ સુધી પહોંચાડયા હતાં. વાંસદા પ્લેયર ક્રિકેટ એસોસિએશન   અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી-સરા વાંસદા તાલુકાના યુવાધન બેઝિક, એડવાન્સ, કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરી છે, વાંસદાની કાજલ માહલાએ હિમાલય પરિભ્રમણમાં સફળતા પ્રાપ્ત કરી હિમાલયની ચોટી પર તિરંગો લહેરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ માઉન્ટેરિંગ સંસ્થાનથી સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલયા ટ્રેકિંગમાં માઉન્ટ ફ્રેન્ડશીપ પીક હાઈટ (૫૨૮૭) મીટરે તિરંગો લહેરાવ્યો હતો, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ પહલગામ (જમ્મુ અને કાશ્મીર) ખાતે બેઝિક માઉન્ટેરિંગ કોર્સ તારીખ ૨૮ જુનથી ૨૧જુલાઈ ૨૦૨૨ કાર્યરત હતો.  એમાં રોક કલાઈમ્બિંગ અને સ્ટ્રીમ ક્રોસિંગ, આઈસ સાથે કઠોર પરિક્ષણ, ટેસ્ટ ઇન્ડોરન્સ ટેસ્ટ, સાત કિલોમીટર હિલ રનિંગ જેમાં કાજલ માહલા પહેલા ક્રમે રહી હતી. ત્યારબાદ હિમાલયન માઉન્ટેન્યરીંગ ઈન્સ્ટિટ્યૂટ (દાર્જિલિંગ) ખાતે એડવાન્સ માઉન્ટ કોર્...

પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ યોજાઈ.

Image
    પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ યોજાઈ. તારીખ : ૨૦-૧૧-૨૦૨૩ થી તારીખ ૨૪-૧૧-૨૦૨૩ દરમ્યાન Pratham Infotech Foundation , SAP Private LTD અને LTPCT ના સહયોગથી ખેરગામ કુમાર શાળા ખાતે પાંચ દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં Pratham Infotech Foundation , SAP Private LTD અને LTPCT ના સહયોગથી નવસારી અને ડાંગ ની કુલ ૨૬૧ શાળાઓમાં code unnati program દ્વારા કોમ્પુટર શિક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી ખેરગામ બ્લોકની  કુલ ૪૯ primary અને secondary શાળાઓનો સમાવેશ થાય છે. આ કોમ્પ્યુટરની તાલીમમાં  કોમ્પ્યુટર શિક્ષકઓ ૫ દિવસની તાલીમ દ્વારા બીજા સત્રના અભ્યાસક્રમ અંગે પ્રેક્ટિકલ અને થીયરી સ્વરૂપે તાલીમ મેળવી હતી. આ પાંચ દિવસ દરમ્યાન તમામ તાલીમાર્થીઓ પૂરી લગન અને એકાગ્રતાથી તાલીમ લેતા જોવા મળ્યા હતાં. પાંચેય દિવસ  દરમ્યાન તાલીમાર્થીઓની૧૦૦ ટકા હાજરી જોવા મળી હતી. તાલીમ તજજ્ઞશ્રીઓ દ્વારા પણ વિવિધ તકનિકી દ્વારા તાલીમ આપતા જોવા મળ્યા હતા.

હવે નાગરિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે ફરિયાદ નોંધાવી શકશે: આઈટી મંત્રી

Image
  હવે નાગરિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે ફરિયાદ નોંધાવી શકશે: આઈટી મંત્રી  નવી દિલ્હી: પીટીઆઇ  ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (મેઈટી) એક પ્લેટફોર્મ વિકસાવશે જેના પર યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મદ્વારા આઈટી નિયમોના ભંગ વિશે મંત્રાલયને સૂચના આપી શકશે. “મેઈટી વપરાશકર્તાઓને આઈટી નિયમોના ભંગ વિશે તેને ખૂબ જ સરળતાથી સૂચિત કરવામાં મદદ કરશે અને એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરશે', એમ મંત્રીએ કહ્યું હતું. સરકાર માટે તે સ્વીકાર્ય છે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તે સામગ્રીને હટાવવાના બદલે તેના પર ડીપફેકનું લેબલ લગાવે. મંત્રાલય એક અધિકારીને નિયુક્ત કરશે જે આઈટી નિયમોના નિયમ 7ને લાગુ કરવા અંગે કામ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું. મેઈટી એક એવું પ્લેટફોર્મ મૂકશે જેના પર નારાજ થયેલા લોકો સહેલાઈથી ભંગ અંગે મંત્રાલયને જાણ કરી શકશે. સાથે જ એક પદ્ધતિ વિકસીત કરાશે જે એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરશે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. ચંદ્રશેખરે કહ્યું, “આજથી આઈટી નિયમો...

ગુજરાત સરકારે ‘ઘોલ’ માછલીને જ ‘સ્ટેટ ફિશ’નો દરજ્જો શા માટે આપ્યો?

Image
 ગુજરાત સરકારે ‘ઘોલ’ માછલીને જ ‘સ્ટેટ ફિશ’નો દરજ્જો શા માટે આપ્યો? ગુજરાતે ઘોલ માછલીને સ્ટેટ ફિશ ઘોષિત કરી છે. અમદાવાદનાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરેન્સ ઈન્ડિયા 2023નાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘોષણા કરી છે. ઘોલ માછલી ભારતમાં મળી આવતી માછલીઓમાંની એક છે. આવું પહેલીવખત નથી થયું જ્યારે કોઈ રાજ્યએ સ્ટેટ ફિશની ઘોષણા કરી હોય, આ પહેલાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સરકારે સ્ટેટ ફિશની ઘોષણા કરી હતી. પ્રશાંત મહાસાગરમાં મળી આવતી આ માછલી ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં સમુદ્રી વિસ્તારોમાં મળી આવે છે. આર્થિક ધોરણે તેનું ઘણું મહત્વ છે. તેની ગણતરી મોંઘી માછલીઓમાં કરવામાં આવે છે. સ્થાનીક સ્તર પર આ માછલીનું વધારે સેવન કરવામાં આવતું નથી પણ ચીન અને અન્ય દેશોમાં તેની ઘણી માંગ છે. આ માછલી માત્ર ટેસ્ટ માટે જ નહીં પણ દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તેના ફ્રોઝન મીટ અને માછલીને યૂરોપીયન અને મિડલ ઈસ્ટનાં દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તેનું રાજ્યની અર્થવ્યવસ્થામાં ઘણું નાનું પણ મહત્વનું યોગદાન છે. ઘોલ માછલીનાં એર બ્લેડરને ચીન, હોન્ગ-કોન્ગ અને અન્ય એશિયાઈ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે...

ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. : અભિનેતા રાજેશ કુમાર

Image
  Reel થી real લાઈફ તરફ વળ્યા અભિનેતા રાજેશકુમાર  ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. : અભિનેતા રાજેશ કુમાર અભિનેતા રાજેશ કુમારે ટેલિવિઝન સિટકોમ  સારાભાઈ વર્સીસ સારાભાઈમાં રોસેશ સારાભાઈની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ રાજેશે અભિનયમાંથી હટી જવાના અને ખેતી પર ધ્યાન આપવાના નિર્ણય વિશે ખૂલીને વાત કરી છે. તેણે કહ્યું કે, તે શૉ બિઝનેસના આક્રમણથી કંટાળી ગયો હતો. તેને જે પ્રકારનું કામ મળી રહ્યું છે તે તેને પસંદ નથી. તેનાથી તે બિલકુલ સંતુષ્ટ ન હતો. રાજેશ કુમારે કહ્યું કે યોગ્ય જાણકારી વિના નવા વ્યવસાયમાં પ્રવેશવું બિલકુલ સરળ નથી. કારણ કે થોડા જ વર્ષોમાં અભિનેતાએ જીવનની બચત ગુમાવી દીધી હતી. તાજેતરની વાતચીત દરમિયાન રાજેશે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં તેણે અભિનયમાંથી બીજું પગલું ભરવાનું નક્કી કર્યું હતું. તેણે તેના પિતાને કહ્યું કે તે તેની પૈતૃક જમીન પર કામ કરવા માંગે છે. તેના પિતા આ માટે સંમત થયા હતા.     Image source: google આ રીતે આવ્યો ખેતી કરવાનો વિચાર... પટનામાં જન્મેલા રાજેશના કહેવા પ્રમાણે, તે એકવાર ઝાડ નીચે બેઠો હતો. તે સમયે તેમને બર્મા ગામની સ્થિતિ સુ...

શહેરના નિવૃત્ત જવાને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી.

Image
  શહેરના નિવૃત્ત  જવાને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી. આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ જવાને વર્ગ-૧નાં સરકારી અધિકારી સુધીની સફર પૂર્ણ કરી. વર્ષ ૨૦૧૮માં નિવૃત્ત થયા બાદ ઉંમરના ૪૩માં વર્ષે વર્ગ - ૧નાં અધિકારી તરીકે સચિન પટેલે નોકરી મેળવી. આર્મીની લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા બાદ બી કોમ શિક્ષીત શહેરના જવાને જીપીએસસીની વર્ગ - ૧ અને ૨ની કસોટીભરી સ્પર્ધાત્મક  પરીક્ષા ઉંમરના ૪૩માં વર્ષે પાસ કરી રાજ્ય સરકારમાં વર્ગ - ૧ના અધિકારી તરીકેની નોકરી મેળવી છે. જવાને આ અગાઉ ચાર સચિન પટેલ અન્ય સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની નોંધપાત્ર સિધ્ધી મેળવી છે. આ હકીકતની વધુ વિગત અનુસાર કારેલીબાગ વિસ્તારમાં રેહતા સચિન પટેલે વર્ષ ૨૦૦૨ના માર્ચમાં આર્મીના કોર્પ્સ ઓફ સિગ્નલ્સ વિભાગમાં નોકરી મેળવી હતી. આર્મીમાં ૧૭ વર્ષની નિષ્ઠાપૂર્વક, શિસ્તબધ્ધ રીતે નોકરી બાદ ડીસેમ્બર ૨૦૧૮માં તેઓ નિવૃત્ત થયા હતા. આ તો હતી મારી આર્મીની સેવા અને તેમાંથી નિવૃત્તીની પૂર્વાર્ધની વાત, હવે ત્યાંથી આગળ વધીએ તો ત્યાંથી બેસી ન રહેતાં હુ સતત કઈક નવું કરવાનું વિચારી રહ્યો હતો. જેથી મેં પૂરી નિષ...

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઇનોવેશન ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી.

Image
  વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઇનોવેશન ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી. --- ૩.૫ સ્ટાર રેટીંગ સાથે વલસાડની સરકારી ઈજનેરી કોલેજે રાજયમાં ઉત્કૃષ્ટ કોલેજ તરીકે સ્થાન મેળવ્યું. વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઇનોવેશન ક્ષેત્રે ફરી નોંધપાત્ર સિદ્ધી મેળવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ઇનોવેશન સેલ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીસમાં ઈન્સ્ટીટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ (આઇઆઇસી)ની રચના કરવામાં આવી છે. જે તે સંસ્થા ખાતે રચાયેલી આઇઆઇસી દ્વારા મુખ્યત્વે સંસ્થા ખાતે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ/સ્પર્ધાઓ દ્વારા ઇનોવેશન અને આંત્રપ્રેન્યોરશીપને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. સમગ્ર દેશની વિવિધ સંસ્થાઓની આઇઆઇસીની પ્રવૃતિઓનું રાષ્ટ્રીય સ્તરની સમિતિ દ્વારા સતત મૂલ્યાંકન કરવામાં આવે છે જે અન્વયે તેઓની કામગીરી અનુસાર સ્ટાર રેટીંગ્સ આપવામાં આવે છે. આ અંતર્ગત તાજેતરમાં જ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત વિવિધ સંસ્થાઓના ઈનોવેશન ક્ષેત્રે કરવામાં આવેલા પ્રદર્શનના આધારે આઇઆઇસીના રેટીંગ્સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશનના ચેર...

ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

Image
ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. તારીખ :૨૪-૧૧-૨ ૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ કૃતિખડક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ કૃષિ મહોત્સવમાં  ડૉ. ખોડીપાડ, કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અન્ન મિલેટ વક્તવ્ય અને પ્રશ્નોતરી રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોમાં ૧. શ્રીમતી રેખાબેન - પ્રગતિશીલ ખેડુત -ગામ વાવ ૨. શ્રીમતી જીયાબેન આહિર- પ્રગતિશીલ પશુપાલક ૩. શ્રી ધર્મેશભાઈ લાડ - પ્રગતિશીલ ખેડુત- ગામ-પણંજ દ્વારા વક્તવ્ય, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ અંગેનું વકતવ્ય સબ ઓડીટરશ્રી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારીમંડળીઓની કચેરી નવસારી, શ્રી ડી.એન.ગરાસીયા, FPO ની કામગીરી અંગેનું વકતવ્ય શ્રી ભરતભાઈ સી પટેલ, ખેતી ખર્ચના ઘટા...

તાપી જિલ્લાની યુવતી બની બોલીવુડની મિસ વિનર.

Image
  તાપી જિલ્લાની આદિવાસી યુવતી બની બોલીવુડની મિસ વિનર. દિલ્હી ખાતે બોલીવુડ દ્વારા એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો.  તાપી જિલ્લાના વ્યારા તાલુકાની લોટરવા ગામની સોનલ ચૌધરીએ ક્રાઉન પ્લાઝા દિલ્હી ખાતે બોલીવુડ દ્વારા યોજાયેલ એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મોડલિંગ અને ડાન્સમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. અને મિસ વિનરની પદવી પ્રાપ્ત કરી હતી. આયોજકો દ્વારા સોનલ ચૌધરીનું સન્માન કરાયું હતું. દિલ્હી ખાતે બોલીવુડ દ્વારા મિસ વિનર અને એવોર્ડ ફંક્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો ગુજરાતની તાપી જિલ્લાની વ્યારા તાલુકાના લોટરવા ગામની સોનલ ચૌધરીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મોડલિંગ અને ડાન્સમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને બોલીવુડ ની મિસ વિનર બની હતી આ પદવી થી સોનલ ચૌધરીએ પરિવાર તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.   video Credit : news18Gujarati 

ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ માવલી માતાની પૂજાઅર્ચના કાર્યક્રમમાં સહભાગી બન્યા.

Image
  ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ  માવલી માતાની પૂજાઅર્ચના કાર્યક્રમમાં સહભાગી બન્યા.  ધરમપુર તાલુકાના વિરવલ ગામ ખાતે માવલી માતાની પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાત્રી દરમ્યાન યોજાયો હતો. જેમાં સ્થાનિક ભગતો દ્વારા માવલી માતાની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જે આજે પણ આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. અને તેને પૂરા ભકિતભાવ અને આસ્થાથી  પૂજા અર્ચના કરે છે. જેને  પ્રકૃતિપૂજા પણ કહી શકાય. નરેશભાઈ પટેલ આદિવાસી સમાજનાં અગ્રણી નેતા હોય આદિવાસી સમાજને ' આદિવાસી સંસ્કૃતિનું જતન' કરવા બદલ પ્રોત્સાહીત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ માવલી માતાની આરતી ઉતારી માતાના  આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે માતાને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.