વલસાડ ખાતે તારીખ ૩જી ડિસેમ્બરના રોજ ફ્રી ડિસેબિલિટી ઓપરેશન ચેક-અપ,નારાયણ કૃત્રિમ અંગો અને કેલિપર્સ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન.
વલસાડ શહેરના શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ વાડી રાષ્ટ્રીય હાઈવે નંબર -૪૮ ધરમપુર ચોકડી વલસાડ ગુજરાત ખાતે 3જી ડિસેમ્બર, 2023 ના રોજ ફ્રી ડિસેબિલિટી ઓપરેશન ચેક-અપ, નારાયણ કૃત્રિમ અંગો અને કેલિપર્સ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે અને તે એવા તમામ વિકલાંગ ભાઈઓ અને બહેનો માટે ખુલ્લું છે જેઓ અંગો વિના જીવી રહ્યા છે. સંસ્થા દ્વારા નવા કૃત્રિમ અંગોની ભેટ ખાસ કરીને વિકલાંગોને તેમના પગ પર ઊભા થવાની અને ફરીથી સામાન્ય જીવન જીવવાની આશા આપશે. વધુમાં વધુ સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લેવા વિનંતી.
વધુ માહિતી માટે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ - વલસાડનો સંપર્ક કરવો.