Posts

પૂર દરમિયાન સાહસિક કામગીરી કરનાર વલસાડના ૧૦ પોલીસ જવાનોનું સન્માન

Image
  પૂર દરમિયાન સાહસિક કામગીરી કરનાર વલસાડના ૧૦ પોલીસ જવાનોનું સન્માન. વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ દરમિયાન પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રશંસનીય કામગીરી કરનાર તથા કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં નોંધપાત્ર યોગદાન આપનાર ૧૦ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે સન્માનિત પોલીસ જવાનોએ તાજેતરના ભારે વરસાદ અને પૂરની સ્થિતિ દરમિયાન જોખમ ઉઠાવી નાગરિકોના જીવ બચાવવા મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. નાનાપોંઢા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ કોપરલી-અંભેટી માર્ગ પર પૂરના પાણીમાં ફસાયેલી બસમાંથી ૩૯ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં સાહસિક કામગીરી કરી હતી. ડુંગરા પોલીસના પીઆઈએ પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે લાંબા સમયથી ફસાયેલા વ્યક્તિને બચાવી હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓએ ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા, ગુમ થયેલા બાળકને શોધી પરિવારને સોંપવા તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ટેન્કરચાલક અને પશુધનનું રેસ્ક્ય...

નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા.

Image
નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા. ૧,૨૦૦થી વધુ યુવાનો ITI અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમોમાં જોડાયા; શૂન્ય ડ્રોપઆઉટના લક્ષ્ય તરફ જિલ્લા તંત્રની કામગીરી નવસારી, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લામાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવામાં આવે તે હેતુથી ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનની કામગીરીની સમીક્ષા અને સફળતાઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, બાળકનું શિક્ષણ સતત ચાલુ રહે તે માટે પરિવાર, શિક્ષકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન અત્યંત જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ સહાય અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના લાંબા ગાળાના પ્રયાસોથી શિક્ષણ ક...

શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન.

Image
શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન. ખેરગામ, તા. 20 ઓગસ્ટ, 2026: નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન છગનભાઈ પટેલ ને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત કામગીરી બદલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી નાંધઈ પ્રાથમિક શાળા તેમજ સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે. દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પાવન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી વિજયભાઈ સી. પટેલ ના વરદહસ્તે અક્ષિતાબેન પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યું હતું. શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અક્ષિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાનની નોંધ લઈ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. અક્ષિતાબેન પટેલની આ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમની સમર્પિત કામગીરીથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રસંગે તા...

તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

Image
  તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી. તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાને ધ્વજવંદન અને તિરંગો લહેરાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાએ ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ, વડીલો, માતા-બહેનો, યુવાનો, ગ્રામજનો તથા શાળાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે માત્ર સરપંચ જ જવાબદાર નથી, પરંતુ ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, સ્ટ્રીટલાઇટ, વૃક્ષારોપણ તેમજ ખેડૂતો માટેની જરૂરી સુવિધાઓ અંગે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને ગામનું ભવિષ્ય ગણાવી સારું શિક્ષણ મેળવી ગામ તથા દેશનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સાથે...

વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન

Image
  વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવાઈ વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી તથા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી તેમની પ્રતિભા, મહેનત, સાહસ અને અદમ્ય ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો. સન્માનિત ખેલાડીઓમાં હેનિલ દિલીપભાઈ પટેલે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૬માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ટીમને વર્લ્ડકપ વિજેતા બનાવવામાં યોગદાન આપ્યું હતું. દીતા જિતેન્દ્ર પટેલે અંડર-૧૪ બહેનોની શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૫-૨૬માં કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં રાષ્ટ્...

નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ

Image
  નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ. પૂરના કારણોનું વિશ્લેષણ કરી કુદરતી જળપ્રવાહને અવરોધતા દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી નવસારી: તાજેતરમાં નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરપ્રવાહ અને વરસાદી પાણીના નિકાલ અંગે સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણોનું વિશ્લેષણ કરતાં કુદરતી કાંસ, ડ્રેનેજ ખાડી અને જળપ્રવાહના માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો તથા પાકા બાંધકામો પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ હોવાનું સામે આવ્યું છે. આથી આવા દબાણો દૂર કરવા જિલ્લા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની ના માર્ગદર્શન હેઠળ નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને કુદરતી જળપ્રવાહના માર્ગો ખુલ્લા કરવા ઝડપી અને નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નવસારી પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીર...

આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન.

Image
   આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન. વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આદિવાસી વાદ્ય તારપાનું વર્ષોથી જતન અને સંવર્ધન કરી રહેલા રંજનભાઈ નંદુભાઈ બિરારી, એટલે કે રંજન કાકાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અસ્સલ આદિવાસી પહેરવેશમાં અને હાથમાં તારપુ લઈને તારપુ વગાડતા વગાડતા તેઓ કાર્યક્રમના સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની આગવી એન્ટ્રીએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રંજન કાકાએ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકવાદ્ય તારપાની આગવી ઓળખને જીવંત રાખી હતી. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પણ તેમની કલા અને આદિવાસી વારસાના જતન બદલ તેમની પ્રશંસા કરી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોને તેમની કલાની વિશેષતા અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પ્રાયોજના વહ...