કારગિલના મોરચાથી યુવાનોના ઘડતર સુધી : કેપ્ટન શંકરભાઈ ગવળીની રાષ્ટ્રસેવાની અનોખી સફર
કારગિલના મોરચાથી યુવાનોના ઘડતર સુધી : કેપ્ટન શંકરભાઈ ગવળીની રાષ્ટ્રસેવાની અનોખી સફર વલસાડ, તા. 14 ઓગસ્ટ, 2026: દેશ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યો છે ત્યારે સ્વાતંત્ર્યના સાચા મૂલ્યને સમજવા માટે દેશની સુરક્ષા અને રાષ્ટ્રસેવામાં જીવન સમર્પિત કરનારા વીર સૈનિકોની ગાથાને યાદ કરવી જરૂરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામના નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ચીમનભાઈ ગવળી ની જીવનયાત્રા આવી જ એક પ્રેરણાદાયી ગાથા છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા શંકરભાઈના મનમાં બાળપણથી જ દેશસેવાની ભાવના હતી. દેશ માટે કંઈક કરવાની પ્રબળ ઈચ્છાએ તેમને ભારતીય સેનામાં જોડાવા પ્રેર્યા. તેમના ગામના નિવૃત્ત એરફોર્સ અધિકારી સ્વ. દિનકરભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી તેમણે વર્ષ 1980માં ગોધરા ખાતે આર્મીની ભરતીમાં ભાગ લીધો. શારીરિક કસોટી, લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેઓ સૈનિક તરીકે પસંદ થયા. 33.5 વર્ષની અવિરત સૈન્યસેવા સૈનિક તરીકે પસંદગી બાદ શરૂ થયેલી શંકરભાઈની રાષ્ટ્રસેવાની સફર સાડા ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચાલી. સૈન્યમાં તેમણે મેડિકલ વિભાગમાં વહીવટી જવાબદારીઓ પણ સ...