Posts

શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન.

Image
શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન. ખેરગામ, તા. 20 ઓગસ્ટ, 2026: નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન છગનભાઈ પટેલ ને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત કામગીરી બદલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી નાંધઈ પ્રાથમિક શાળા તેમજ સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે. દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પાવન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી વિજયભાઈ સી. પટેલ ના વરદહસ્તે અક્ષિતાબેન પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યું હતું. શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અક્ષિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાનની નોંધ લઈ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. અક્ષિતાબેન પટેલની આ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમની સમર્પિત કામગીરીથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રસંગે તા...

તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

Image
  તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી. તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાને ધ્વજવંદન અને તિરંગો લહેરાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાએ ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ, વડીલો, માતા-બહેનો, યુવાનો, ગ્રામજનો તથા શાળાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે માત્ર સરપંચ જ જવાબદાર નથી, પરંતુ ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, સ્ટ્રીટલાઇટ, વૃક્ષારોપણ તેમજ ખેડૂતો માટેની જરૂરી સુવિધાઓ અંગે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને ગામનું ભવિષ્ય ગણાવી સારું શિક્ષણ મેળવી ગામ તથા દેશનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સાથે...

વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન

Image
  વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવાઈ વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી તથા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી તેમની પ્રતિભા, મહેનત, સાહસ અને અદમ્ય ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો. સન્માનિત ખેલાડીઓમાં હેનિલ દિલીપભાઈ પટેલે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૬માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ટીમને વર્લ્ડકપ વિજેતા બનાવવામાં યોગદાન આપ્યું હતું. દીતા જિતેન્દ્ર પટેલે અંડર-૧૪ બહેનોની શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૫-૨૬માં કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં રાષ્ટ્...

નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ

Image
  નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ. પૂરના કારણોનું વિશ્લેષણ કરી કુદરતી જળપ્રવાહને અવરોધતા દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી નવસારી: તાજેતરમાં નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરપ્રવાહ અને વરસાદી પાણીના નિકાલ અંગે સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણોનું વિશ્લેષણ કરતાં કુદરતી કાંસ, ડ્રેનેજ ખાડી અને જળપ્રવાહના માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો તથા પાકા બાંધકામો પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ હોવાનું સામે આવ્યું છે. આથી આવા દબાણો દૂર કરવા જિલ્લા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની ના માર્ગદર્શન હેઠળ નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને કુદરતી જળપ્રવાહના માર્ગો ખુલ્લા કરવા ઝડપી અને નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નવસારી પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીર...

આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન.

Image
   આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન. વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આદિવાસી વાદ્ય તારપાનું વર્ષોથી જતન અને સંવર્ધન કરી રહેલા રંજનભાઈ નંદુભાઈ બિરારી, એટલે કે રંજન કાકાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અસ્સલ આદિવાસી પહેરવેશમાં અને હાથમાં તારપુ લઈને તારપુ વગાડતા વગાડતા તેઓ કાર્યક્રમના સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની આગવી એન્ટ્રીએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રંજન કાકાએ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકવાદ્ય તારપાની આગવી ઓળખને જીવંત રાખી હતી. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પણ તેમની કલા અને આદિવાસી વારસાના જતન બદલ તેમની પ્રશંસા કરી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોને તેમની કલાની વિશેષતા અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પ્રાયોજના વહ...

પટેલ ગ્રુપની સરાહનીય સેવાકીય પહેલ : શિક્ષણ માટે સહયોગનો પ્રેરણાદાયી સંદેશ

Image
  પટેલ ગ્રુપની સરાહનીય સેવાકીય પહેલ : શિક્ષણ માટે સહયોગનો પ્રેરણાદાયી સંદેશ અડદા ગામ, તા. જિ. નવસારી: “એક બાળકના હાથમાં શિક્ષણની સામગ્રી એટલે તેના ભવિષ્યમાં નવી આશાનું વાવેતર.” આ ભાવનાને સાકાર કરતાં પટેલ ગ્રુપ દ્વારા નવસારી વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સરાહનીય સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો મળી રહે અને તેઓ આત્મવિશ્વાસ સાથે શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે વિવિધ શાળાઓમાં યુનિફોર્મ, નોટબુક, સ્લેટ, પાટીયા, પેન-પેન્સિલ, કલર કીટ, બેસવાના આસન, શેતરંજી, પાથરણા, સ્ટીલની થાળી અને પાણીનું કૂલર સહિતની શૈક્ષણિક તથા ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પટેલ ગ્રુપના સહયોગથી અમલસાડ મિશ્ર પ્રાથમિક શાળા, છાપર પ્રાથમિક શાળા, મોવાસા પ્રાથમિક શાળા, તોરણગામ પ્રાથમિક શાળા, કોથીફળિયા પ્રાથમિક શાળા, ધમડાછા પ્રાથમિક શાળા, લુસવાડા પ્રાથમિક શાળા, કસબાવાડી નિશાળ, ભાઠા પ્રાથમિક શાળા, ઉંડાચ પ્રાથમિક શાળા, અજરાઈ પ્રાથમિક શાળા અને ગાંધોર પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ વિવિધ સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ...

બંધાડ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા કૈલાસબેન રાયસિંગભાઈ પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માન

Image
  બંધાડ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા કૈલાસબેન રાયસિંગભાઈ પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માન ખેરગામ, નવસારી: શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, ક્લસ્ટર બહેજ, તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી ખાતે ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી કૈલાસબેન રાયસિંગભાઈ પટેલ ને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રમાણપત્રમાં જણાવ્યા અનુસાર, કૈલાસબેન પટેલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપ્યું છે. શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકના યોગદાનને બિરદાવતાં શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ ભવિષ્યમાં પણ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે શિક્ષણસેવા આપતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામા...