શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન.
શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન. ખેરગામ, તા. 20 ઓગસ્ટ, 2026: નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન છગનભાઈ પટેલ ને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત કામગીરી બદલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી નાંધઈ પ્રાથમિક શાળા તેમજ સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે. દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પાવન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી વિજયભાઈ સી. પટેલ ના વરદહસ્તે અક્ષિતાબેન પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યું હતું. શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અક્ષિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાનની નોંધ લઈ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. અક્ષિતાબેન પટેલની આ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમની સમર્પિત કામગીરીથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રસંગે તા...