આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન.
આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન. વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આદિવાસી વાદ્ય તારપાનું વર્ષોથી જતન અને સંવર્ધન કરી રહેલા રંજનભાઈ નંદુભાઈ બિરારી, એટલે કે રંજન કાકાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અસ્સલ આદિવાસી પહેરવેશમાં અને હાથમાં તારપુ લઈને તારપુ વગાડતા વગાડતા તેઓ કાર્યક્રમના સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની આગવી એન્ટ્રીએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રંજન કાકાએ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકવાદ્ય તારપાની આગવી ઓળખને જીવંત રાખી હતી. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પણ તેમની કલા અને આદિવાસી વારસાના જતન બદલ તેમની પ્રશંસા કરી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોને તેમની કલાની વિશેષતા અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પ્રાયોજના વહ...