નળિયાવાળી શાળાથી આધુનિક શિક્ષણધામ સુધીની સફર : ચંદનબેન પટેલની 38 વર્ષની પ્રેરણાદાયી શિક્ષણસેવા
નળિયાવાળી શાળાથી આધુનિક શિક્ષણધામ સુધીની સફર : ચંદનબેન પટેલની 38 વર્ષની પ્રેરણાદાયી શિક્ષણસેવા ખેરગામ : ખેરગામ તાલુકાની બહેજકૃતિખડક પ્રાથમિક શાળામાં શિક્ષણક્ષેત્રે લાંબા સમયથી સેવા આપનાર શિક્ષિકા તથા મુખ્ય શિક્ષક ચંદનબેન પટેલ ની શિક્ષણયાત્રા શિક્ષક સમુદાય અને સમાજ માટે પ્રેરણારૂપ બની છે. ચંદનબેને પોતાના 38 વર્ષના શિક્ષણજીવન દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા છે. છેલ્લા 28 વર્ષથી બહેજકૃતિખડક પ્રાથમિક શાળામાં સેવા આપતાં તેમણે મુખ્ય શિક્ષક તરીકે પણ લાંબા સમય સુધી શાળાની જવાબદારી સંભાળી છે. એક સમયે માત્ર 4 ધોરણ અને 32 વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને ધોરણ 8 સુધી વિકસાવવામાં તેમજ શાળાના ભૌતિક અને શૈક્ષણિક વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આજે શાળામાં આશરે 203 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ચંદનબેનના સેવાકાર્યમાં સૌથી નોંધપાત્ર બાબતોમાંની એક એટલે 51 આદિવાસી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન . પોતાના આશરે રૂ. 2 લાખના ખર્ચે તેમણે વિદ્યાર્થીઓને ફ્લાઇટ દ્વારા દિલ્હી, આગ્રા, મથુરા અને વૃંદાવન સહિતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની...