Posts

આહીર પ્રેઝીની શાનદાર સિદ્ધિ: U-16 પેન્ટાથ્લોનમાં ગોલ્ડ મેડલ

Image
 આહીર પ્રેઝીની શાનદાર સિદ્ધિ: U-16 પેન્ટાથ્લોનમાં ગોલ્ડ મેડલ ખેરગામ, તા. ૨૬/૦૮/૨૦૨૬: રમતગમત ક્ષેત્રે ખેરગામ તાલુકાનું ગૌરવ વધારતી નોંધપાત્ર સિદ્ધિ સામે આવી છે. Gujarat State Junior Athletics Meet-2026 માં ખેરગામની યુવા ખેલાડી આહીર પ્રેઝીએ U-16 Pentathlonમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની આ એથ્લેટિક્સ સ્પર્ધામાં પ્રેઝીએ વિવિધ ઇવેન્ટ્સમાં પોતાની પ્રતિભા દર્શાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સતત મહેનત, રમત પ્રત્યેનું સમર્પણ અને માર્ગદર્શનના પરિણામે તેણે આ સફળતા હાંસલ કરી છે. હવે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ પ્રેઝી માટે વધુ એક મહત્વપૂર્ણ તક ઊભી થઈ છે. ગોવામાં યોજાનારી West Zone Junior Championship માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીથી ખેરગામ તાલુકા ઉપરાંત નવસારી જિલ્લાનું નામ પણ ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. પ્રેઝીની રમતગમત સફરમાં બહેજ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પ્રવીણભાઈ પટેલનું માર્ગદર્શન અને યોગદાન મહત્વપૂર્ણ ...

તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો

Image
તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો. ખેરગામ, તા. ૨૫/૦૮/૨૦૨૬: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની નિશાળ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે મંગળવારના રોજ સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત તોરણવેરા સેજાના આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ કાર્યક્રમ ડૉ. ચિરાગ ગાવિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોષણ ઉત્સવમાં જાડાધાન્ય એટલે કે મિલેટ્સ તેમજ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતી THR સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી ૫૦થી વધુ પૌષ્ટિક વાનગીઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક શાળા તોરણવેરાના પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન વાઢુ અને સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિ સહિત ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. ચિરાગ ગાવિતે પોષણ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય પોષણ એટલે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ સહિતના જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવો ખોરાક. સરકાર દ્વારા આપવામાં આવતી બાળશક્તિ અને માતૃશક્તિની THR સામગ્રીમાં પણ આ પોષક તત્વોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બાળકો તેમજ સગર્ભા અ...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

Image
  નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન, નિવૃત્ત હોદ્દેદારોને વિદાય સન્માન જલાલપોર, તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા શનિવારે જલાલપોર કન્યાશાળા, જલાલપોરના સભાખંડ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર સુમનભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત જલાલપોર કન્યાશાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીતની રજૂઆતથી થઈ હતી. જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ વિવિધ ઘટક સંઘોના પ્રમુખશ્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ કારોબારી સભ્યોની સરભરા અને વ્યવસ્થામાં જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ તથા તેમની સમગ્ર ટીમે ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. કારોબારી સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શિક્ષકોના હિત, સંગઠનાત્મક કામગીરી, શૈક્ષણિક ગુણવત્તા અને સામાજિક જવાબદારી સાથે સંકળાયેલા વિવિધ મુદ...

ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ દેસાઈને વિદાય સન્માન.

Image
  ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ દેસાઈને વિદાય સન્માન. ગણદેવી: ગણદેવી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ દેસાઈ સાહેબની બદલી થતાં તેમના સન્માનમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ , નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ , ઈરન્નાભાઈ, મેહુલભાઈ સહિત ગણદેવી તાલુકાના શિક્ષકગણ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલ અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમણે પણ ચેતનભાઈ દેસાઈ સાહેબને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ગણદેવી તાલુકાના તમામ શિક્ષકો વતી ચેતનભાઈ દેસાઈ સાહેબને તેમની સેવાઓ બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શિક્ષકોએ તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર, માર્ગદર્શન અને સરળ તથા સહકારપૂર્ણ કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ચેતનભાઈ દેસાઈ સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ તેમની નવી જવાબદારી અને આગામી સેવાકીય...

પૂર દરમિયાન સાહસિક કામગીરી કરનાર વલસાડના ૧૦ પોલીસ જવાનોનું સન્માન

Image
  પૂર દરમિયાન સાહસિક કામગીરી કરનાર વલસાડના ૧૦ પોલીસ જવાનોનું સન્માન. વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ દરમિયાન પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રશંસનીય કામગીરી કરનાર તથા કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં નોંધપાત્ર યોગદાન આપનાર ૧૦ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે સન્માનિત પોલીસ જવાનોએ તાજેતરના ભારે વરસાદ અને પૂરની સ્થિતિ દરમિયાન જોખમ ઉઠાવી નાગરિકોના જીવ બચાવવા મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. નાનાપોંઢા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ કોપરલી-અંભેટી માર્ગ પર પૂરના પાણીમાં ફસાયેલી બસમાંથી ૩૯ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં સાહસિક કામગીરી કરી હતી. ડુંગરા પોલીસના પીઆઈએ પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે લાંબા સમયથી ફસાયેલા વ્યક્તિને બચાવી હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓએ ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા, ગુમ થયેલા બાળકને શોધી પરિવારને સોંપવા તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ટેન્કરચાલક અને પશુધનનું રેસ્ક્ય...

નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા.

Image
નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા. ૧,૨૦૦થી વધુ યુવાનો ITI અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમોમાં જોડાયા; શૂન્ય ડ્રોપઆઉટના લક્ષ્ય તરફ જિલ્લા તંત્રની કામગીરી નવસારી, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લામાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવામાં આવે તે હેતુથી ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનની કામગીરીની સમીક્ષા અને સફળતાઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, બાળકનું શિક્ષણ સતત ચાલુ રહે તે માટે પરિવાર, શિક્ષકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન અત્યંત જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ સહાય અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના લાંબા ગાળાના પ્રયાસોથી શિક્ષણ ક...

શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન.

Image
શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન. ખેરગામ, તા. 20 ઓગસ્ટ, 2026: નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન છગનભાઈ પટેલ ને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત કામગીરી બદલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી નાંધઈ પ્રાથમિક શાળા તેમજ સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે. દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પાવન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી વિજયભાઈ સી. પટેલ ના વરદહસ્તે અક્ષિતાબેન પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યું હતું. શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અક્ષિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાનની નોંધ લઈ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. અક્ષિતાબેન પટેલની આ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમની સમર્પિત કામગીરીથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રસંગે તા...