શિક્ષક દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
શિક્ષક દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક, પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિ એનાયત ગાંધીનગર : ભારતના મહાન તત્ત્વચિંતક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026’, પ્રશસ્તિપત્ર તેમજ સન્માન રાશિ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં સર્વોચ્ચ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શિક્ષકની ભૂ...