Posts

Showing posts from June, 2023

ખેરગામ તાલુકાના પ્રા. શિક્ષકોની બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.

Image
     ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા  તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક  તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો...

ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવતાં ભારે નુકશાન.

Image
   ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થતાં અમારી સમસ્ત આદિવાસી સમાજની ટીમ દ્વારા પરિવારને આશરે 1-1.5  મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની સહાય કરવામાં આવી.નોંધનીય બાબત એ હતી કે સવારે ઘર સળગ્યું અને સાંજ સુધીમાં તો ગામલોકોએ પાઘડી ફાળો કરીને નવા પતરા,જમવાની,ઢોર-ઢાંખર માટે ચારોપાણી સહિતની 90% વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી ગ્રામ્યજનોની એકતાના દર્શન કરાવ્યા. ડૉ.નિરવ પટેલની ટીમ ત્યાં મદદ માટે ગઈ હતી ત્યારે પણ આશરે 250-300ની આસપાસ લોકોએ ઉપસ્થિત રહી યથાશક્તિ મદદરૂપ થવાના આ પ્રસંગને દીપાવ્યો.આ પ્રસંગે મંગુભાઇ,ઉમેશભાઈ,મયુર,કાર્તિક,ચકો મોગરાવાડી સહિતના ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
    તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન ,  આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન ,  ખેરગામ ગ્રામ પંચાયત સભ્ય હેમલતાબેન ,  એસ.એમ.સી. સભ્યો ,  વાલીઓ ,  ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની ધોરણ -૮ ની બાળાઓ દ્વારા  ‘ મનુષ્ય તું બડા મહાન હૈ ’  ગીત રજૂ કરવામાં આવ્યુ. બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૮ બાળકોને અને ધોરણ-૬માં    બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષનાં ૩ થી ૫ ધોરણમાં પ્રથમ આવેલ બાળકોને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. શામળા ફળિયાનાં દાતાશ્રી હેમલતાબેન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક કિટ દ્વારા બાલવાટિકાનાં ...

રૂઝવણી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
       રૂઝવણી પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.જેમાં પ્રાયોજના વહીવટદાર અધિકારીશ્રી વાસદા ના શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ,TDO સર શ્રી વિમલભાઈ પટેલ,જયેશભાઈ ગેહલોત સર,લાયઝન અધિકારી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને શ્રીમતી નીમિશાબેન આહીર ગામના સરપંચ દીપિકા બેન,શાળા ની SMC ના અધ્યક્ષ હિતેશભાઈ,SMC ના સભ્યો,ગ્રામજનો, વાલીઓ,બાલવાટિકા માં પ્રવેશ પામનાર બાળકો અને શાળાના શિક્ષકો તેમજ વ્હાલા બાળકો હાજર રહ્યા હતા...

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
     તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન ,  આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન ,  ખેરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી  વિભાબેન જે. પટેલ  ,  એસ.એમ.સી. સભ્યો ,  વાલીઓ ,  ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.    કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
    તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન ,  આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન ,  ખેરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી વિભાબેન જે. પટેલ , ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ  એસ.એમ.સી. સભ્યો ,  વાલીઓ ,  ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં પ્રવેશપાત્ર  બાળકોને  પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.