નાંધઈ મેળામાં અવિરત સેવા: પાણીની પરબનો પરોપકારી વારસો
નાંધઈ મેળામાં અવિરત સેવા: પાણીની પરબનો પરોપકારી વારસો સેવા એ માત્ર કર્તવ્ય નથી, તે સંસ્કૃતિ છે. ખેરગામના આદિવાસી સામાજિક યુવા આગેવાન જગદીશભાઈ પટેલ (મુન્નાભાઈ), શૈલેષભાઈ પટેલ, હર્ષદભાઈન પટેલ, રણજીતભાઇ પટેલ અને તેમના મિત્રમંડળ દ્વારા નાંધઈ મેળા માં 30 વર્ષથી અવિરત ચાલતી પાણીની પરબ એ નાનકડું પરંતુ ઉંડા સંસ્કાર ધરાવતું સેવાકાર્ય છે. સેવાની શરુઆત સ્વ. મંગુભાઈ પટેલ,અને રમેશભાઈ પટેલ તથા તેમની ટીમે ત્રણ દાયકાં પહેલાં મેળામાં આવતા જાત્રાળુઓ માટે તરસ મિટાવવા પાણીની પરબ શરૂ કરી હતી . ધર્મ, જાતિ કે વિસ્તારોની ભેદભાવના વિના, મેળામાં આવતા હજારો લોકો માટે આ પરબ પ્રેમ અને નિષ્ઠાની પ્રેરણા બની છે . સેવાની પરંપરાનું સંચાલન આ પરબ આજ સુધી જગદીશભાઈ પટેલ , શૈલેષભાઈ પટેલ , હર્ષદભાઈ પટેલ, રણજીતભાઇ પટેલ તથા તેમના મિત્રમંડળ અને સેવાભાવી ગ્રુપ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. ફિલ્ટર પાણીનો ટેન્કર મેળાના સ્થળે લગાવવામાં આવે છે, જેથી દરેક જાત્રાળુ સ્વચ્છ અને ઠંડું પાણી પી શકે. આ સેવા મેળાના અંતિમ દિવસ સુધી અવિરતપણે ચાલે છે. સેવાનું મહત્વ ઉનાળાની ગરમીમાં યાત્રાળુઓ મ...