Posts

Showing posts from March, 2026

વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય.

Image
વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય.  ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા, નવસારી સંચાલિત શાળાની ઉપશિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન ગંભીરસિંહ પઢિયારના નિવૃત્તિ નિમિત્તે વિદાય સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખ તેમજ કુમાર શાળા ખેરગામના પૂર્વ કેન્દ્ર શિક્ષક શ્રી અરવિંદભાઈ પટેલ અને ઉદ્બોધક તરીકે નિવૃત શિક્ષક શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શાળા પરિવાર, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ, સરપંચશ્રી, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. શ્રીમતી પઢિયારે તેમની શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ તા. ૧૯ નવેમ્બર ૧૯૯૦ના રોજ વલસાડ જિલ્લાના કેવાડા પ્રાથમિક શાળાથી કર્યો ...

આછવણી (બંધાડ ફળિયા) પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો લાગણીસભર વિદાય સમારોહ યોજાયો

Image
 આછવણી (બંધાડ ફળિયા) પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો લાગણીસભર વિદાય સમારોહ યોજાયો ખેરગામ તાલુકાની આછવણી સ્થિત બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં તા. 30 માર્ચ 2026ના રોજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે લાગણીસભર અને યાદગાર વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાના આંગણે વિતાવેલા ૮ વર્ષના મીઠા સંસ્મરણોને તાજા કર્યા હતા અને માધ્યમિક શિક્ષણના નવા પ્રવાસ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રગટાવાથી કરવામાં આવી હતી. આચાર્યશ્રી સંજયભાઈ આહીરે વિદ્યાર્થીઓ અને વાલીઓનું સ્વાગત કરતાં શાળાજીવનના મહત્વ પર પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને યાદોને વહેંચતાં કાર્યક્રમને ભાવુક બનાવી દીધો હતો. શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નિષ્ઠા અને સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી. શાળાની તરફથી વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન રૂપે બોલપેન પેકેટ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ સાથે ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચે ભાવુક ક્ષણો સર્જાઈ હતી, છતાં વ...

વિદાય પ્રસંગે ધોરણ-8ના વિદ્યાર્થીઓની અનોખી ભેટ: શાળાને એરકુલર અર્પણ

Image
 વિદાય પ્રસંગે ધોરણ-8ના વિદ્યાર્થીઓની અનોખી ભેટ: શાળાને એરકુલર અર્પણ. તા. 28/03/2026, શનિવારના રોજ વિદ્યામંદિર માછીઆવાસણમાં વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ પટેલના અધ્યક્ષપદ હેઠળ ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળાની યાદોને વાગોળી ભાવુક પળો અનુભવ્યા હતા. કાર્યક્રમમાં ગણદેવી તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, એસ.એમ.સી. શિક્ષણવિદ નેમાભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન પટેલ તેમજ ધોરણ-8ના વર્ગશિક્ષક દેવલભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને શુભાશિષ આપતાં પ્રેરણાદાયક વક્તવ્યો આપ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ખલાસીએ વિદ્યાર્થીઓને ગમે તેવી પરિસ્થિતિમાં પણ શિક્ષણને નેવે ન મૂકતા પ્રગતિના માર્ગે સતત આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિકાસ મંડળના સભ્યો, એસ.એમ.સી. સભ્યો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેનું ઋણ વ્યક્ત કરવા માટે યાદગીરીરૂપે એરકુલર ભેટ આપ્યો હતો, જેનું ઉદ્ઘાટન પ્રવિણભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉપશિક્ષક ભ...

ધોડીઆ (dhodiya) ભાષાના કવિ Kulin Patel ને રાષ્ટ્રીય સન્માન: આદિવાસી સાહિત્યને મળી નવી ઓળખ.

Image
   ધોડીઆ (dhodiya) ભાષાના કવિ Kulin Patel ને રાષ્ટ્રીય સન્માન: આદિવાસી સાહિત્યને મળી નવી ઓળખ. કુલીન પટેલને દિલ્હીમાં યોજાયેલા ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવમાં સન્માનિત કરવામાં આવ્યા, જે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે પોતાની માતૃભાષા ધોડીઆમાં કાવ્યપઠન કરીને આદિવાસી જીવન, ગ્રામ્ય જ્ઞાન અને સંસ્કૃતિની અનોખી ઝલક રજૂ કરી. તેમની કવિતાઓમાં શહેરી સમાજને આદિવાસી સંસ્કૃતિ તરફ વિચારવા પ્રેરિત કરતો સશક્ત સંદેશ જોવા મળ્યો. મહોત્સવ દરમિયાન ડૉ. રમેશ ગૌરના હસ્તે તેમને અંગવસ્ત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. કવિતા સત્રના અધ્યક્ષ ચિત્તરંજન ત્રિપાઠીએ તેમની અવાજની અસરકારકતા અને રજૂઆતની ખાસ પ્રશંસા કરી. ધોડીઆ ભાષા, જે ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી સમુદાયોમાં બોલાય છે, તેના સંવર્ધન માટે કુલીન પટેલ લાંબા સમયથી કાર્યરત છે. તેઓ અગાઉ પણ રાષ્ટ્રીય મંચો પર આ ભાષામાં કાવ્ય રજૂ કરીને તેને મુખ્યધારામાં લાવવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. 👉 આ ઘટના એ સાબિત કરે છે કે આદિવાસી ભાષા અને...

નવસારી જિલ્લાના પી.એમ.શ્રી શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું આયોજન.

Image
  નવસારી જિલ્લાના પી.એમ.શ્રી શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું આયોજન. નવસારી જિલ્લામાં પી.એમ.શ્રી GOI તથા પી.એમ.શ્રી-ગુજરાત (GOG) યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓના મુખ્યશિક્ષકો અને શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસના તા. 03-12-2025ના માર્ગદર્શક પત્ર મુજબ તા. 22 માર્ચથી 26 માર્ચ 2026 દરમિયાન કુલ 5 દિવસીય આ અભ્યાસ પ્રવાસ યોજાયો હતો. આ વિઝીટનો મુખ્ય હેતુ શિક્ષકોને અન્ય રાજ્યોની શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓ, શાળા સંચાલન, નવીનતા તથા પ્રયોગાત્મક અભિગમોથી પરિચિત કરાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર શિક્ષકમિત્રોએ લોનાવાલા, શીરડી, નાસિક અને સાપુતારા ખાતે આવેલી પી.એમ.શ્રી શાળાઓ તેમજ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન જિલ્લા UEM કો-ઓર્ડિનેટર નિકેતા બી. દેસાઈ તથા સહ-સંયોજક હિસાબી અધિકારી કિરણ જી. જડે દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. આ પહેલ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા, નવીનતા અપનાવવા તથા શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. PM Shri Schools, Navsari Di...

કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Image
   કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનના લોકાર્પણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય ધારાસભ્યશ્રી નવસારી શ્રી રાકેશભાઈ દેસાઈ તેમજ મુખ્ય મહેમાનશ્રી અજયભાઈ દેસાઈ, અધ્યક્ષશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ફુલચંદભાઈ ભક્તાણી, શ્રી હેમંતસિંહ ચૌહાણ (પ્રમુખશ્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), શ્રી વિશાલસિંહ રાઠોડ (પ્રમુખશ્રી, નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી) તથા શ્રી વિજયભાઈ પટેલ (મહામંત્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ) અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી પરેશભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી અમીષાબેન મોદી, શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિરણભાઈ દેસાઈ તેમજ દાતા શ્રી નગીનભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી અકબરભાઈ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રશિક્ષકશ્રીઓ (CRC), નવસારી ત...

નવસારી જિલ્લાના PSE મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન : જલાલપોર તાલુકાની નવ્યા પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ.

Image
 નવસારી જિલ્લાના PSE મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન : જલાલપોર તાલુકાની નવ્યા પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ. નવસારી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના PSE મેરિટ લિસ્ટમાં જિલ્લામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગણદેવી, જલાલપુર, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ગણદેવી તાલુકાની મોરલી પ્રાથમિક શાળાના વેદ રાકેશકુમાર પટેલે 98 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ભાઠા પ્રાથમિક શાળાની મેશ્વી મિનેશભાઈ પટેલે 96 ગુણ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું અને નવીન રોહિતકુમારે 94 ગુણ સાથે તૃતિય સ્થાન મેળવ્યું છે. જલાલપુર તાલુકામાં સારાવની પ્રાથમિક શાળાની નવ્યા મિનેશકુમાર પટેલે 100 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. કૃષ્ણપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની બંસીતા મિતેશભાઈ ટંડેલ તથા ગૌરવ અશ્વિનભાઈ ટંડેલે 94 ગુણ સાથે અનુક્રમે દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખેરગામ તાલુકામાં નાંધઈ પ્રાથમિક શાળાની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે 82 ગુણ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. વાંસદા તાલુકામાં પ્રતાપનગર પ્રાથમિક શાળ...

સેવા અને સમર્પણનો સંગમ: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં અલ્પાહાર કાર્યક્રમ યોજાયો.

Image
   સેવા અને સમર્પણનો સંગમ: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં અલ્પાહાર કાર્યક્રમ યોજાયો. વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તા. 25-03-2026ના રોજ ચૈત્ર નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે એક ભાવસભર અલ્પાહાર કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આદરણીય ઉપશિક્ષક શ્રી બાબુભાઈ એન. પટેલ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પીરસવાનો ઉમદા ઉપક્રમ હાથ ધરાયો હતો. આ પ્રસંગે શાળાના હોલમાં વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે એકત્રિત થયા હતા. શ્રી બાબુભાઈ પટેલ વર્ષોથી શાળામાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પ્રત્યે તેમનો પ્રેમ અને લાગણી સૌને પ્રેરણા આપે છે. શ્રીમતી રેખાબેન પણ આ સેવા કાર્યમાં જોડાઈ ‘શાળા એ જ પરિવાર’ની ભાવનાને સાકાર કરી હતી. બન્નેએ સ્વહસ્તે બાળકોને પ્રેમથી નાસ્તો પીરસ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓમાં વિશેષ આનંદનો માહોલ સર્જાયો હતો. બાળકોના ચહેરા પર દેખાતી ખુશી આ કાર્યક્રમની સફળતાનું પ્રતિબિંબ બની હતી. શ્રી બાબુભાઈ પટેલે બાળકોને સંબોધતા જણાવ્યું કે, “ચૈત્ર નવરાત્રી એ શક્તિની આરાધનાનો પવિત્ર પર્વ છે. બાળકો ભગવાનનું સ્વરૂપ છે અને તેમને ખવડાવવાથી અમને આ...

ખેરગામ આહિર સમાજ દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ.

Image
  ખેરગામ આહિર સમાજ દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ. ખેરગામ તાલુકા આહિર સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજના પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર તથા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ એક સરાહનીય સામાજિક સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી વિસ્તારની વાડ હાઈસ્કૂલના 123 અને બહેજ હાઈસ્કૂલના 30 વિદ્યાર્થીઓને મફત યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ચેતનભાઈ પટેલ, સામાજિક અગ્રણીશ્રી દિનેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બંને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમંડળે આહિર સમાજની આ ઉત્તમ પહેલને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. યુનિફોર્મ પ્રાપ્ત થતા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી, જે આ કાર્યની સફળતાનું પ્રતિબિંબ છે. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ઈદુલ ફિત્ર પર્વે ખેરગામમાં ભાઈચારાનો અનોખું દ્રશ્ય

Image
 ઈદુલ ફિત્ર પર્વે ખેરગામમાં ભાઈચારાનો અનોખું દ્રશ્ય ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ઈદુલ ફિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રમઝાનના છેલ્લા દિવસે સાંજે ઈદનો ચાંદ દેખાતા શનિવારે વહેલી સવારે ખેરગામ સહિત ધરમપુર, વાડ, પીઠા અને આસપાસના ગામોમાંથી મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં દાદરી ફળીયા ખાતે આવેલી ઈદગાહમાં એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે ખેરગામ પોલીસ મથકના પીઆઈ પીનલ ચૌધરી તથા તેમની સમગ્ર ટીમે ખડેપગે રહી સેવા આપી હતી. સુન્નત જમાતના કમિટી સભ્ય ઐયુબભાઈ ઈંડાવાળાએ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવતા તમામ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રસંગે સમાજના પ્રમુખ ગુલાબભાઈ શેખ, જમીરબાપુ, અઝીઝભાઈ ક્વોરીવાળા, નઝીરભાઈ શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈદગાહમાં નમાઝ બાદ ખાસ દુઆ કરવામાં આવી હતી. ખેરગામ રિફાઇ કમિટી દ્વારા શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલૂસ પણ કાઢવામાં આવ્યો હતો. ઈદના આ પવિત્ર પ્રસંગે દિવસભર હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ પરસ્પર મળીને એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી સૌહાર્દ અને એકતાનો અનોખ...

ધામધુમા ગામે ₹41.54 લાખના Box culvertનું ખાતમુહૂર્ત

Image
 ધામધુમા ગામે ₹41.54 લાખના Box culvert ખાતમુહૂર્ત ખેરગામ તાલુકાના ધામધુમા ગામ ખાતે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને ગ્રામજનોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળે તે હેતુથી ₹41.54 લાખના ખર્ચે નિર્માણ પામનાર 4 સેલ બોક્સ કલ્વર્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી Nareshbhai Patel સાહેબ તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ આદરણીય Kanjibhai Patel ના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ લિતેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ભીખુભાઈ આહીર, મહામંત્રી ચેતનભાઈ પટેલ, વિજયભાઈ રાઠોડ તેમજ ધામધુમા ગામના સરપંચ રતિલાલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યથી ગામમાં પાણી નિકાલની સુવિધા સુધરશે અને ગ્રામજનોના દૈનિક જીવનમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

ખેરગામમાં TASP યોજના હેઠળ ૨૫૦ પશુપાલકોને ખાણ-દાણ વિતરણ.

Image
  ખેરગામમાં TASP યોજના હેઠળ ૨૫૦ પશુપાલકોને ખાણ-દાણ વિતરણ. તા. 20/03/2026 ના રોજ ખેરગામ પશુ દવાખાના ખાતે TASP યોજના અંતર્ગત પશુપાલકોને ખાણ-દાણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ કુલ ૨૫૦ પશુપાલકોને લાભ આપવામાં આવ્યો હતો. ખાણ-દાણનું વિતરણ ત્રણ સ્થળોએ કરવામાં આવ્યું હતું, જેમાં ખેરગામ પશુ દવાખાનું, મહિલા સંચાલિત દૂધ મંડળી બહેજ અને તોરણવેરા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. સમગ્ર વિતરણની કુલ કિંમત રૂ. ૯,૯૩,૭૫૦/- જેટલી છે. આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. એમ.સી. પટેલ સાહેબ અને પ્રાયોજના વહીવટદારની કચેરી, વાંસદા ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડો. જીતેન્દ્ર બાલવાણી, ખેરગામ સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, ભાજપના મહામંત્રી વિજયભાઈ રાઠોડ, તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આ યોજના દ્વારા પશુઓને યોગ્ય ખોરાક મળવાથી દૂધ ઉત્પાદન વધશે અને પશુઓનું સ્વાસ્થ્ય સુધરશે.

ખેરગામ તાલુકામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે special educator નિમાયા.

Image
  ખેરગામ તાલુકામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ એજયુકેટર નિમાયા. સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્યની સમાવેશી શિક્ષણ શાખા દ્વારા વર્ષ-૨૦૨૬ માટે સ્પેશ્યલ એજયુકેટર કલસ્ટર રિસ્ટ્રકચર કામગીરી અંતર્ગત ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માટે કરાર આધારિત નિમણૂક પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આ પ્રક્રિયા અંતર્ગત જિલ્લાકક્ષાની પસંદગી સમિતિ દ્વારા મેરીટ તથા રૂબરૂ મુલાકાતના આધારે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી અને કલસ્ટર મુજબ શાળાઓ ફાળવવામાં આવી છે. ધોરણ ૬ થી ૮ માટે પટેલ આશિષકુમારને બહેજ પ્રાથમિક શાળામાં નિમણૂક આપવામાં આવી છે। જ્યારે ધોરણ ૧ થી ૫ માટે રીટાકુમારી ભગુભાઈ પટેલને પી.એમ. શ્રી પાટી તથા દેવાભાઈ સોનજીભાઈ ગાંવિતને પાણીખડક પ્રાથમિક શાળામાં નિમણૂક આપવામાં આવી છે. આ તમામ નિમણૂકો સરકારના નિયમો, શરતો અને સમગ્ર શિક્ષા, ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી છે। આ પગલું સમાવેશી શિક્ષણને મજબૂત બનાવવામાં તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Khergam updates : ખેરગામમાં 160 પશુપાલકોને રબર કિટ વિતરણ, ગ્રામ્ય વિકાસને મળ્યો વેગ.

Image
  Khergam updates :  ખેરગામમાં 160 પશુપાલકોને રબર કિટ વિતરણ, ગ્રામ્ય વિકાસને મળ્યો વેગ. ખેરગામ તાલુકાના પશુપાલન દવાખાના ખાતે પશુપાલકોના હિત માટે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 160 પશુપાલકોને રબર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટનું વિતરણ જિલ્લા પંચાયત સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું, જે પશુઓની આરોગ્ય અને સંભાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના પશુપાલન અધિકારી ડો. જીતેન્દ્ર બાલવાની ઉપસ્થિતીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી લીતેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ ભાજપ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, ગૌરી ગામના સરપંચશ્રી પ્રકાશભાઈ પટેલ, ખેરગામ ડેપ્યુટી સરપંચ તેમજ પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, પૂર્વ ભાજપ મહામંત્રીશ્રી અનિલભાઈ પટેલ, પત્રકાર હિતેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના સભ્યપતિ મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. આ કીટ વિતરણ કાર્યક્રમથી પશુપાલકોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. પશુપાલકોએ સરકારશ્રી અને જિલ્લા પંચાયતનો હૃદયપૂર્વક આભ...

તોરણવેરામાં ઈ-નિર્માણ કાર્ડ અને આરોગ્ય તપાસ કેમ્પમાં ૬૮૬ લાભાર્થીઓએ સેવાઓ મેળવી.

Image
   તોરણવેરામાં ઈ-નિર્માણ કાર્ડ અને આરોગ્ય તપાસ કેમ્પમાં ૬૮૬ લાભાર્થીઓએ સેવાઓ મેળવી. તારીખ: 17 માર્ચ 2026  સ્થળ: તોરણવેરા ગ્રામ પંચાયત તોરણવેરા ગ્રામ પંચાયત ખાતે આજ રોજ ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) બનાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજુબાજુના ગામોના નાગરિકોને ઉપસ્થિત રહી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ ૬૮૬ જેટલા લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્ય કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ સુગર અને બ્લડ પ્રેશર જેવી આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. આથી ગ્રામજનોને એકજ સ્થળે આરોગ્ય તથા શાસકીય સેવાઓ ઉપલબ્ધ બની હતી. આ પ્રસંગે ભાજપના તાલુકા પ્રમુખ શ્રી લિતેશભાઈ ગાંવિત, ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પૂજા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઈ ડી. દાભડીયા, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ભાવેશભાઈ વાઢુએ મહેનતપૂર્વક કામગીરી કરી હતી. ગ્...

શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે સરકારી યોજનાઓનો વિશેષ લાભ કેમ્પ યોજાયો.

Image
  શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે સરકારી યોજનાઓનો વિશેષ લાભ કેમ્પ માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી, ભારત સરકાર તથા લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે ઈ-શ્રમ કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) અંગેની વિગતવાર માહિતી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી શાંતિલાલભાઈ (ગણદેવી) તથા ચુનીલાલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવી વિવિધ સેવાઓનો લાભ લીધો. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા મહામંત્રીશ્રી જીગરભાઈ દેસાઈ, મહામંત્રીશ્રી શાંતિલાલભાઈ, તાલુકા પ્રમુખશ્રી લિતેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મહામંત્રીશ્રી વિજયભાઈ, ચેતનભાઈ, માજી તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ, ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ, બ્રહ્મ સમાજ પ્રમુખશ્રી અંકુરભાઈ શુક્લ,...

સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષયક એક અઠવાડિયાની અદ્યાપક તાલીમ યોજાઈ.

Image
  સરકારી   પોલિટેકનિક,   વલસાડ   ખાતે   આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ   (AI)   વિષયક   એક   અઠવાડિયાની   અદ્યાપક   તાલીમ   યોજાઈ. વલસાડ, તા. 14 માર્ચ 2026: સરકારી પોલિટેકનિક, વલસાડના સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગ તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા “Reimagining Engineering Education through Artificial Intelligence (AI)” વિષયક એક અઠવાડિયાનો Short Term Training Program (STTP) તા. 9 માર્ચ થી 13 માર્ચ, 2026 દરમિયાન સફળતાપૂર્વક યોજાયો. આ તાલીમ કાર્યક્રમને GUJCOST અને DST, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો અને તેને ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન (DTE), દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન તા. 9 માર્ચ, 2026ના રોજ શ્રી વિમલ પટેલ, માન. ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ., વલસાડના હસ્તે કરવામાં આવ્યું હતું. પોતાના ઉદ્ઘાટન ભાષણમાં તેમણે શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના વધતા મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ તાલીમ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિન...

ખેરગામ રામજી મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ.

Image
 ખેરગામ રામજી મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખેરગામના રામજી મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં યોગના મહત્વ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી. યોગ આપણા જીવનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શિબિર દરમિયાન યોગ કરવાથી શરીરમાં થતા વિવિધ રોગોમાં થતા ફાયદા, શરીરની તંદુરસ્તી જાળવવામાં યોગની ભૂમિકા અને નિયમિત યોગાભ્યાસના લાભો વિશે માહિતી આપવામાં આવી. ઉપસ્થિત લોકોને યોગાસન અને પ્રાણાયામનો પ્રયોગાત્મક અભ્યાસ પણ કરાવવામાં આવ્યો. આ યોગ શિબિરમાં અનેક લોકો ઉત્સાહપૂર્વક જોડાયા અને સ્વસ્થ જીવન માટે નિયમિત યોગ કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યો. [Yoga Camp, Gujarat State Yoga Board, Khergam, Ramji Mandir, Health Awareness, Yogasan, Pranayam] #YogaCamp #Khergam #GujaratYogaBoard #YogaForHealth #HealthyLife #Yogasan #Pranayama #KhergamNews #HealthAwareness 

માનનીય કેબિનેટ મંત્રીશ્રી Nareshbhai Patel અને માનનીય પૂર્વ ધારાસભ્યશ્રી Kanjibhai Patel દ્વારા સ્વ. બહાદુરભાઈ પટેલને શ્રદ્ધાંજલિ.

Image
 માનનીય કેબિનેટ મંત્રીશ્રી Nareshbhai Patel અને માનનીય પૂર્વ ધારાસભ્યશ્રી Kanjibhai Patel દ્વારા સ્વ. બહાદુરભાઈ પટેલને શ્રદ્ધાંજલિ. ખેરગામ તાલુકાના નારણપોર ગામે આજે માનનીય કેબિનેટ મંત્રીશ્રી Nareshbhai Patel તથામાનનીય પૂર્વ ધારાસભ્યશ્રી Kanjibhai Patel દ્વારા સ્વર્ગસ્થ બહાદુરભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ સ્વ. બહાદુરભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારજનોને મળીને દુઃખની આ ઘડીમાં સાંત્વના પાઠવી હતી અને સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. બહાદુરભાઈ પટેલ ગામ તથા સમાજમાં તેમના સેવાભાવી સ્વભાવ અને લોકહિતના કાર્યો માટે જાણીતા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન ખેરગામ ભાજપ ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ ટેલર, ખેરગામ મહામંત્રી ચેતનભાઈ અને વિજયભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્વ. બહાદુરભાઈના 93 વર્ષીય નજીકના મિત્ર મગનકાકા પણ હાજર રહી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત આગેવાનો અને ગામજનો દ્વારા સ્વ. બહાદુરભાઈ પટેલના સમાજપ્રતિના યોગદાનને યાદ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ પરિવારજનોને ધીરજ અને શ...

ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા.

Image
 ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા. તારીખ 15 માર્ચ 2026ના રોજ ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. ડેબરપાડા અને ગૌરી ગામમાં ડામર રસ્તા બનાવવાના કામ, પાટી ગામે સ્મશાનભૂમિ પાસે શેડ બનાવવાનું કામ તેમજ પ્રાથમિક શાળામાં પાણીના બોરનું કામ, તેમજ પાણીખડક ગામે સ્મશાનભૂમિ પાસે શેડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, નવસારી જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી શ્રી ચેતનભાઈ પટેલ અને મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ડેબરપાડાના સરપંચ શ્રી અશ્વિનભાઈ પટેલ, ગૌરીના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ, વડપાડાના સરપંચ શ્રી પંકજભાઈ, પાટી ગામના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ નાયક તથા પાણીખડક ગામના સરપંચ શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સાથે સાથે પાણીખડકના ભાજપ આગેવાન પરેશભાઈ ગાયકવાડ, પાટી ગામના આગેવાન કાંતિભાઈ અને બાબુભાઈ પટેલ સહિત તમામ ગામોના પંચાયત સભ્યો, આગેવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્...

કૃષિ ક્ષેત્રે ઉષાબેન વસાવાની સિદ્ધિ : “શ્રેષ્ઠ મહિલા ખેડૂત” એવોર્ડથી સન્માન.

Image
 કૃષિ ક્ષેત્રે ઉષાબેન વસાવાની સિદ્ધિ : “શ્રેષ્ઠ મહિલા ખેડૂત” એવોર્ડથી સન્માન. નવસારી સ્થિત Navsari Agricultural University દ્વારા આયોજિત કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય બદલ સંવાદસાથી શ્રીમતી ઉષાબેન વસાવાને “શ્રેષ્ઠ મહિલા ખેડૂત” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ Acharya Devvratના હસ્તે તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉષાબેન વસાવા લાંબા સમયથી ખેતી ક્ષેત્રે નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેમના પ્રયત્નોથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે તેમજ આસપાસના વિસ્તારની અનેક મહિલા ખેડૂતોએ પણ પ્રેરણા મેળવી છે. તેમની મહેનત, નવીનતા અને કૃષિ પ્રત્યેની સમર્પિત ભાવનાને માન આપી યુનિવર્સિટીએ આ સન્માન આપ્યું છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને ઉષાબેનને અભિનંદન પાઠવ્યા હતા. ઉષાબેનની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ગૌરવની ક્ષણ બની છે. 🌾

ખેરગામના પ્રગતિશીલ ખેડૂત મહેશ પટેલનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન.

Image
 ખેરગામના પ્રગતિશીલ ખેડૂત મહેશ પટેલનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન. ખેરગામ | ખાતર અને રસાયણો પરની વધતી અવલંબનતાની વચ્ચે પ્રાકૃતિક ખેતી આજે અનેક ખેડૂતો માટે આશાનો કિરણ બની રહી છે. આ દિશામાં ઉત્તમ કાર્ય માટે ખેરગામ તાલુકાના આછવણી ગ્રામ પંચાયતના સભ્ય અને પ્રગતિશીલ ખેડૂત મહેશ ગુલાબભાઈ પટેલને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી Acharya Devvratના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. મહેશભાઈ પટેલ લાંબા સમયથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી જમીનની ઉર્વરતા જાળવવા અને પર્યાવરણમૈત્રી કૃષિ પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્નશીલ છે. તેમણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોના ઉપયોગને ઘટાડીને ગાય આધારિત કુદરતી ખેતી પદ્ધતિઓનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. તેમની ખેતી પદ્ધતિને કારણે ઉત્પાદનની ગુણવત્તા સુધરી છે તેમજ ખેતીનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂત, જમીન અને પર્યાવરણ – ત્રણેયનું કલ્યાણ શક્ય બને છે તેવો સંદેશ પણ મહેશભાઈના કાર્ય દ્વારા સમાજને મળી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આવા પ્રગતિશીલ ખેડૂતોના પ્રયાસોની પ્રશંસા કરી અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્...