ધરમપુર તાલુકાના ઓઝર ખાતે ભારતીય બંધારણ દિવસ ઉજવણી મહોત્સવ યોજાયો.

SB KHERGAM
0


 ધરમપુર તાલુકાના ઓઝર ખાતે ભારતીય બંધારણ દિવસ ઉજવણી મહોત્સવ યોજાયો.

જેમાં  ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયા તથા ધરમપુરનાં સામાજિક કાર્યકર આગેવાન કમલેશભાઈ પટેલની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

સૌ પ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ઉપસ્થિત આગેવાનો દ્વારા ડૉ.બાબા સાહેબ અને ભારતીય બંધારણ વિશે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. 

ભારત દેશ આઝાદ થયા પછી શિક્ષણ- કાયદા શાસ્ત્રી પ્રસિદ્ધ ડૉ બાબા સાહેબ આંબેડકરે ભારત રાષ્ટ્ર માટે બંધારણનું સર્જન કર્યું હતું જે 26 નવેમ્બર 1949 ના દિવસે સ્વીકારાયું હતું 

જેની સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવણી થાય છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. ૨૬/૧૧ રાષ્ટ્રીય કાયદા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. 




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top