ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ
ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ. તારીખ ૧૬/૧૨/૨૦૨૫ થી ૧૮/૧૨/૨૦૨૫ દરમ્યાન ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ના શિક્ષકો માટે શારીરિક શિક્ષણ તથા ‘આનંદદાયી શનિવાર (Joyful Saturday)’ વિષયક ત્રણ દિવસીય તાલીમ સફળતાપૂર્વક યોજાઈ. આ તાલીમમાં તજજ્ઞશ્રીઓ તરીકે ધર્મેશભાઈ પટેલ (પહાડ ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ), ભાવિતાબેન પટેલ (વાડ મુખ્ય શાળા), દક્ષાબેન પટેલ (ગૌરી પ્રાથમિક શાળા) તેમજ માસ્ટર ટ્રેનર દિગ્વિજયસિંહ પરમાર (ડેબરપાડા પ્રાથમિક શાળા) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમ દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ અને ખેરગામ બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્રણ દિવસીય તાલીમ દરમિયાન યૌગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, ધ્યાન, મુદ્રા, સૂર્યનમસ્કાર, માસ પી.ટી., બેઠકના દાવ, ડંબેલ્સ, ઘાટી લેજિમ, વિવિધ રમતો, ચિત્રકલા-ક્રાફ્ટ, સંગીત વગેરે વિષયોમાં પ્રેક્ટિકલ આધારિત તાલીમ આપવામાં આવી. ‘આનંદદાયી શનિવાર’ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસન...






Comments
Post a Comment