બંધાડ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા કૈલાસબેન રાયસિંગભાઈ પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માન

 

બંધાડ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા કૈલાસબેન રાયસિંગભાઈ પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માન


ખેરગામ, નવસારી: શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવી રહ્યા છે.

આ અંતર્ગત બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, ક્લસ્ટર બહેજ, તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી ખાતે ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી કૈલાસબેન રાયસિંગભાઈ પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રમાણપત્રમાં જણાવ્યા અનુસાર, કૈલાસબેન પટેલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપ્યું છે.

શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકના યોગદાનને બિરદાવતાં શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ ભવિષ્યમાં પણ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે શિક્ષણસેવા આપતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

કૈલાસબેન પટેલને મળેલું આ સન્માન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, આછવણી તેમજ સમગ્ર ખેરગામ તાલુકા માટે ગૌરવની બાબત બની રહ્યું છે. તેમના આ સન્માનથી શાળા પરિવાર, શિક્ષણ જગત અને શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી છે. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ વિવિધ સ્તરેથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.