આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો

 

આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો

આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પરિવાર તરફથી બાળકો માટે સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ બાળકોને પ્રેમ અને આત્મિયતા સાથે ભોજન કરાવવામાં આવ્યું. ભોજનમાં પાંવ ભાજી, દાળ-ભાત, બુંદી તેમજ કચુંબર જેવી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી.


સમૂહ ભોજનથી બાળકોમાં સહકાર, સમાનતા અને ભાઈચારાની ભાવના વિકસે તે હેતુ રાખવામાં આવ્યો હતો. શાળા પરિવારની આ સુંદર પહેલને કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.