ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનો પડઘો: SQAAF સ્વ-મૂલ્યાંકનની સમયમર્યાદા 8 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનો પડઘો: SQAAF સ્વ-મૂલ્યાંકનની સમયમર્યાદા 8 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ. શિક્ષક સંઘોની રજૂઆત બાદ શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, તા. 31 ઓગસ્ટ 2026: રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વ-નિર્ભર શાળાઓમાં SQAAF ગુણાંકન 2026 અંતર્ગત ચાલી રહેલી સ્વ-મૂલ્યાંકનની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. SQAAF સ્વ-મૂલ્યાંકન માટે અગાઉ 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. વિવિધ શિક્ષક સંઘો તથા શાળા સંચાલક મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ તહેવારોની રજાઓને ધ્યાનમાં લઈને હવે આ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA), ગાંધીનગરના નાયબ નિયામક ડૉ. જી. સી. વ્યાસ દ્વારા તા. 31 ઓગસ્ટ 2026ની નોંધ પર માન. નિયામકશ્રીની મંજૂરી બાદ જાહેર કરાયેલા નિર્ણય મુજબ SQAAF ગુણાંકન 2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનનો સમયગાળો વધારીને 8 સપ્ટેમ્બર 2026 સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્વ-મૂલ્યાંકનની કામગીરી બાકી રહેલી શાળાઓને કામગીરી પૂર્ણ કરવા માટે વધારાનો સમય મળશે. ⚠️ બાકી શાળાઓ માટે મહત્વપૂ...