ખેરગામ ગામના પોમાપાળ ફળિયા ખાતે લાભપાંચમે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ.
ખેરગામના પોમાપાળ ફળિયાના આગેવાનોએ ગામમાં સુખ-શાંતિ જળવાઇ રહે તેમજ લોકો હળી મળીને રહે તે હેતુ દર વર્ષેની જેમ આ વર્ષે પણ સમૂહ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે હવન બાદ સત્યનારાયણ ભગવાનની કથાની શરૂઆત ખેરગામના ગુણવંત મહારાજ દ્વારા વૈદિક મંત્રોચાર સાથે કરવામાં હતી. જેમાં ૩૧ જેટલા દંપતીઓએ લાભ લીધો હતો. પુજા અર્ચના બાદ આરતી કરવામાં આવી હતી. મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ગામના લોકોએ ભાગ લીધો હતો.