Vansda: પીપલખેડમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરાઈ.

SB KHERGAM
0

 

Vansda: પીપલખેડમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરાઈ.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના લ પીપલખેડ ગામે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર રીતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાવવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સવારે ૭:૩૦ કલાકે દીપ પ્રાગટ્ય દ્વારા કરાવવામાં આવી. ત્યાર બાદ ગામની જય અંબે ભજન મંડળ દ્વારા ઉપસ્થિતિ જનમેદનીને શ્લોક, હનુમાન ચાલીસા, શ્રી રામ ભજન-ધૂનમાં તરબોળ કરી દીધા હતાં. ત્યાર બાદ સવારે ૧૦:૩૦ કલાક થી અયોધ્યાથી શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત એલ.ઈ .ડી સ્કિન પર જીવંત પ્રસારણ ૪૦૦૦ જેટલા ભાવિક ભક્તોએ નિહાળ્યું હતું. ત્યાર બાદ રામ ભક્તો દ્વારા શ્રી રામની આરતી, સ્તુતિ કરવામાં આવી. ત્યાર બાદ ઈ.સ. ૧૯૯૨ માં અયોધ્યા ગયેલા

કારસેવકો રાજેશભાઇ ગાંવિત, શંકરભાઈ માહલા, છનાભાઇ ગાંવિત, હરિભાઇ માહલા, જતરભાઇ ગાંગોડા અને સ્વર્ગસ્થ કારસેવકો સ્વ. કનુભાઈ માહલા તથા સ્વ. મંગલભાઇ ગાંવિત ના કુટુંબીજનોનું કુમ કુમ તિલક કરી, ફૂલહાર, સાલ ઓઢાડી અને શ્રીફળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૫૦૦૦ જેટલા ધર્મપ્રેમીભાઈ-બહેનો માટે ગ્રામજનો દ્વારા ભંડારાનું આયોજન કર્યું હતું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top