Navsari : વડોદરા હરણી તળાવ ખાતે બનેલ દુઃખદ ઘટના બાબતે નવસારી Dpeoશ્રીએ સમગ્ર જિલ્લા શિક્ષણ વિભાગ વતી શોક સંદેશો પાઠવ્યો.
વડોદરા હરણી તળાવ ખાતે બનેલ દુઃખદ ઘટનામાં જે બાળકો અને શિક્ષકોનાં અકાળે અવસાન થયા છે એમના આત્માને પ્રભુ શાંતિ અર્પણ કરે અને આવી પડેલી મહા મુસીબતમાં એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે.
આ દુઃખદ ઘટના બાબતે સમગ્ર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જે બાળકો અને શિક્ષકોનાં અકાળે અવસાન થયા છે તેમના આત્માની શાંતિ માટે ૧૯-૦૧-૨ ૦૨૪નાં દિને શાળા કક્ષાએ પ્રાર્થના સંમેલનમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શોક સંદેશ પાઠવ્યો હતો. સાથે સાથે પ્રવાસ દરમ્યાન રાખવાની થતી સાવધાની બાબતે બાળકોને અને વાલીઓને માહિતગાર કરવા જણાવ્યું હતું.
જે અનુસંધાને નવસારી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.