વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે તા. ૧૦ જાન્યુ. એ રક્તદાન શિબિર યોજાશે.
ગુજરાત એસ.ટી નિગમ દ્વારા હાલમાં ‘‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’’ ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન વલસાડ એસટી વિભાગ ખાતે થઈ રહ્યું છે. જેના ભાગરૂપે તા. ૧૦ જાન્યુઆરીને બુધવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક દરમ્યાન એસટી વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા, વલસાડ ખાતે સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિગમના કર્મચારી, અધિકારીઓ રક્તદાન કરશે અને મુસાફર જનતા તેમજ અબ્રામાના લોકો ને પણ જોડાવા માટે વિભાગીય નિયામક એન. એસ. પટેલ દ્વારા આહવાન કરાયું છે.
માહિતી સ્રોત: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૮ જાન્યુઆરી