નવસારી બસ સ્ટેન્ડ પર ‘‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’’ હેઠળ વિવિધ કાર્યક્ર્મો યોજાયા.
નવસારી ડેપો દ્વારા “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા"ના સંક્લ્પ હેઠળ સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ મુસાફર જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સર સી.જે એન ઝેડ મદ્રેસા સ્કુલ નવસારીના એન એસ એસ સ્વયંસેવકો અને ડેપોના સ્ટાફ દ્વારા સયુંક્ત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું.