તા.19/12/2023
ધરમપુર આદિવાસી સમાજના રજૂઆતનાં પગલે મહાનુભાવોની પ્રતિમાની એક દિવસના આંતરે શરૂ કરવામાં આવેલ સાફસફાઈ.
તા.06/12/2023 ના દિને ચીફ ઓફિસરશ્રી ધરમપુરને નગર પાલિકા વિસ્તારમાં આવેલ તમામ મહાનુભાવોની પ્રતિમાની દરરોજ પાણીથી સફાઈ કરવામાં માટેની રજુઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને નગરપાલિકા એક દિવસના આંતરે દરેક પ્રતિમાઓ પાણીથી ધોવામાં આવી રહી છે.
જેથી ધરમપુર આદિવાસી સમાજ ધરમપુર નગરપાલિકાના સ્ટાફ અને નગરપાલિકા ચીફ ઓફીસર શ્રી ધરમપુરનો ખાસ આભાર વ્યક્ત કરે છે, સાથે સહકાર આપનાર મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર કર્યો છે.