'વિકાસશીલ ભારત' થી 'વિકસિત ભારત' થવા તરફ પ્રયાણ કરતી યાત્રા....એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.....
ખેરગામ તાલુકાના કાકડવેરી અને તોરણવેરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ.
કેન્દ્ર અને રાજ્યની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના દરેક માનવી સુધી પહોંચે તે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે આ કાર્યક્રમ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ,ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,ખેરગામ મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી એમ.પી.વિરાણી સાહેબ,નાયબ ખેતી નિયામક સાહેબ સાથે વિવિધ ડિપાર્ટમેન્ટ ના અધિકારીશ્રીઓ અને એમની ટીમ ,તાલુકાઓ પંચાયત સદસ્યશ્રીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.