Dang : સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે સ્વ.મનજીદાદાની પ્રાર્થના સભાનું આયોજન કરાયુ.

SB KHERGAM
0

 

Dang : સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે સ્વ.મનજીદાદાની પ્રાર્થના સભાનું આયોજન કરાયુ.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૧: બગદાણાના સંત શ્રી બજરંગદાસ બાપાના સેવક તથા ગુરૂ આશ્રમ, બગદાણાના મેનેજીંગ ટ્રસ્ટી સ્વ. 

શ્રી મનજીદાદાનું ગત તારીખ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સ્વર્ગ થતા, સમાજને નિઃસ્વાર્થ સેવાભાવીની ખોટ પડી છે. 

ડાંગ જિલ્લામાં પણ સેવાની સુવાસ પ્રગટાવતા ડાંગ દરબાર વેળા ચારેક વર્ષ સુધી બાપા સીતારામના ભંડારાનું આયોજન કરતા મનજીદાદાના આ સેવાકાર્યમાં હજારો ભાવિકો પ્રસાદ ગ્રહણ કરતા હતા.


મનજીદાદા જ્યારે પણ મહારાષ્ટ્ર તરફ જતા ત્યારે માલેગામ શાળામાં વિશ્રામ કરી આગળ વધતા. પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા તથા શ્રી પી.પી.સ્વામીજી સાથે તેમને ખૂબ ધનિષ્ઠ સંબંધો રહ્યા હતા. જેથી સ્વ. મનજીદાદાની પ્રાર્થના સભાનુ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતી.

દરમિયાન તેમની સાથેના સંસ્મરણો વાગોળતા શ્રી સ્વામીજીએ તેમના જીવન તથા ગુરુ ભક્તિ વિશે વાતો કરી હતી. કથાવાચક સુશ્રી યશોદા દીદીએ ધૂન ગાન કરાવી, શાંતિપાઠ કર્યો હતો. વૈદેહી સંસ્કારધામ, શીવારીમાળની બાળાઓએ ગીતાના પંદરમા અધ્યાયનું ગાન કર્યું હતું. વિવિધ ગામોના ભગતો, આગેવાનો તથા વિધાર્થીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેને ગાઈને પણ શોક સંદેશો પાઠવી, શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

-

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top