Khergam : ખેરગામ ગ્રામ પંચાયત અને શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલનાં સયુંક્ત સહયોગથી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે.
સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝરણાબેન પટેલે જણાવ્યું છે કે તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪ ગુરુવાર ના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે.
જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ),આંખની તપાસ કરી અને ચશ્માં વિતરણ કરવામાં આવશે, તેમજ દાંતની તપાસ, અને સામાન્ય બીમારીઓ તેમજ બીજી બધી ગંભીર બીમારીઓની વિના મૂલ્યે તપાસ કરી આપવામાં આવશે.
જેમનુ લોહીનું પ્રમાણ ૭% થી ઓછુ આવશે તેવા એનિમીયાના (લોહીની ઊણપવાળા) દર્દીઓને આયુષ્ય્માન ભારત કાર્ડ હેઠળ નિ:શુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
કેમ્પમાં તમામ પરીક્ષણો, દવાઓ અને સારવાર તદ્દન નિ:શુલ્ક છે.