ભારતના સૌથી ધનિક બેંકર ઉદય કોટકની પ્રેરણાદાયી યાત્રા.

SB KHERGAM
0

  

ભારતના સૌથી ધનિક બેંકર ઉદય કોટકની પ્રેરણાદાયી યાત્રા.


ભારતીય ખાનગી ક્ષેત્રની બેંક, કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન ઉદય કોટકને કોણ નથી ઓળખતું ? પરંતુ ચાલો આજે તેમને નજીકથી જાણીએ. 

ઉદય કોટકનો જન્મ 15 માર્ચ 1959ના રોજ મુંબઈમાં ઉચ્ચ મધ્યમવર્ગના ગુજરાતી લોહાણા સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર વિભાજન દરમિયાન કરાચી, પાકિસ્તાનથી ભારત આવી ગયો હતો અને કપાસના વેપારનો વ્યવસાય સ્થાપ્યો હતો, તેમનો પરિવાર સંયુક્ત કુટુંબ પ્રણાલીને અનુસરતો હતો અને તેથી ઉદય બાબુલનાથમાં એક છત નીચે 60 સમ્માના પરિવારમાં મોટા થયા હતા.

 નાનપણથી જ ઉદયને ક્રિકેટ અને ગણિત આ બન્નેવની આવડત ધરાવતા હતા. તેમણે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં અનુસ્નાતકની ડિગ્રી પણ મેળવી. ઉદયે બાળપણનો મોટાભાગનો સમય ક્રિકેટમાં અને સિતાર શીખવામાં પસાર કર્યો હતો. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ ગતિ કરતાં અગ્રતા ધરાવતો હતો. અને તેમણે એક ક્રિકેટર તરીકેની સફળ કારકિર્દી પ્રાપ્ત કરવાનું સપનું પણ જોયું હતું.

કોટક એક સારા ક્રિકેટર હતા – લેફ્ટ હેન્ડ સ્પિનર અને રાઈટ હેન્ડ બેટ્સમેન. ઉદય કોટકનું સૌથી પહેલું સપનું ક્રિકેટર બનવાનું હતું. પરંતુ તેણે લાખોની જેમ માત્ર સપના જ જોયા નહીં પણ તેને સાકાર કરવાનો પ્રયાસ પણ કર્યો. 

તેમના બાળપણ દરમિયાન, ઉદયે તેમની શાળા અને કોલેજની ટીમોની કેપ્ટનશીપ કરી હતી. તેમણે મુંબઈમાં કાંગા ક્રિકેટ લીગ (43 ફર્સ્ટ- ક્લાસ ક્રિકેટ મેચ રમનાર હોરમસજી કાંગાના નામ પરથી) રમવા માટે પણ ગયા હતા. લીગમાં સુનીલ ગાવસ્કર, યુવા સચિન તેંડુલકર, ઝહીર ખાન જેવા મહાન ક્રિક્ટરો પણ સામેલ છે. કોટકની ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો. 

જ્યારે તેમને આઝાદ મેદાનમાં કાંગા લીગમાં વિકેટની વચ્ચે દોડતી વખતે માથા પર બોલ વાગ્યો, આનાથી કોટકને બ્રેઈન હેમરેજથી બચવા માટે ઓપરેશન કરાવવું પડ્યું. તેમની ઈજાએ કોટકને ઘણા મહિનાઓ સુધી પથારીવશ કરી દીધા હતા અને તેમની ક્રિકેટ કારકિર્દીનો પણ અંત લાવી દીધો હતો.

અસ્માતને કારણે ઉદય તેમની કોલેજનું એક વર્ષ પણ બગડ્યું હતું. તેઓ જણાવે છે કે, "અસ્માતને મેં આખું વર્ષ ગુમાવ્યું, કારણ કે, જો તમે સેમેસ્ટર ગુમાવ્યું, તો તમે એક વર્ષ ગુમાવ્યું, હું સ્વસ્થ થયા પછી બાકીના વર્ષમાં મારે કઈ કરવાનું ન હતું, તેથી હું કપાસની નિકાસના સંયુક્ત કુટુંબના વ્યવસાયમાં કામ કરવા ગયો. 

અમારા પરિવારના 14 સભ્યો ફોર્ટમાં નવસારી બિલ્ડંગમાં એક જ ઓફિસમાં કામ કરતા હતા, હું પણ સીવડી ખાતેના ગોડાઉનમાં ગયો હતો. કામની સાથે સાથે વિવિધ પ્રકારના લોકો સાથે વ્યવહાર કરવાની કળા સૌથી મહત્વપૂર્ણ શીખવાનો અનુભવ હતો. હું ક્લિયરિંગ અને ફોરવર્ડિંગ, શિપિંગ વગેરે વિશે પણ ઘણું શીખ્યો, પરંતુ તે થોડા મહિનામાં, હું પરિવારના અન્ય લોકો સાથે ગંભીર મતભેદોમાં પડી ગયો." એમબીએ પૂર્ણ કર્યા  પછી ઉદ્યોગસાહસ તરીકે તેમની સફર શરુ થાય છે, ઉદય કોટક બહુરાષ્ટ્રીય કન્ઝ્યુમર ગુડ્સ કંપની(FMCG કંપની)ની ભારતીય પેટા કંપની હિન્દુસ્તાન યુનિલિવરમાં જોડાવા માટે તૈયાર હતા.

        તેમના પિતાએ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું. ઉદય કહે છે કે, “તેઓ ખૂબ જ સ્પષ્ટ હતા કે તેઓ પારિવારિક વ્યવસાયમાં કામ કરશે નહીં." પછી તેમના પિતાએ ઉદયને કહ્યું કે, "જો પરિવારને ઉદયને કામ કરવા માટે નાની  જગ્યા આપવા માટે સમજાવું તો? પછી તમે શું કરવા માંગો છો?” ઉદયે કહ્યું કે તે ફાઇનાન્સિયલ કન્સલ્ટન્સી કરવા માંગે છે. ઉદયને 300 ચોરસ ફૂટની ઓફિસ સ્પેસમાં પોતાનો બિઝનેસ સ્થાપ્યો, 

ઉદયે મેરેથોન દોડવીર પલ્લવી કોટક સાથે લગ્ન કર્યા છે. ડેટિંગના બે મહિનામાં જ તેઓએ લગ્ન કરી લીધા, તેઓ પહેલીવાર એક પાર્ટીમાં મળ્યા અને પ્રેમમાં પડ્યા. પલ્લવીએ ઉદયને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ટેકો આપ્યો, આ દંપતીને બે બાળકો છે અને તેઓ મુંબઇમાં રહે છે. 

ઉદયે 23 વર્ષની ઉંમરે કોટક કેપિટલ મેનેજમેન્ટ ફાઇનાન્સ  લિમિટેડની પોતાની નાની નાણાકીય એજન્સી ખોલી. ઉદયે પરિવાર અને મિત્રો પાસેથી ઉછીના લીધેલી મૂડી વડે ફાઇનાન્સ અને બિલ ડિસ્કાઉન્ટિંગ બિઝનેસ શરૂ કર્યો. રોકાણનો મોટો હિસ્સો તેમના શ્રેષ્ઠ મિત્ર આનંદ મહિન્દ્રા તરફથી આવે છે. તેથી પેટાકંપની નાણાકીય એજન્સીનું નામ કોટક  મહિન્દ્રા રાખવામાં આવ્યું.

ઉદયે ટાટાની પેટાકંપની નેલ્કો સહિત બિઝનેસ સંસ્થાઓને ન્યૂનતમ વ્યાજ દરે નાણાકીય સહાય પૂરી પાડી હતી. તેમણે બેંકોની સરખામણીમાં વ્યાપારી સંસ્થાઓને ઓછા વ્યાજ દરો વસૂલ્યા હતા. આ મોટી સફળતા મળ્યા બાદ ઉદયે કંઈક મોટું સ્થાપન કરવાનું નક્કી કર્યું. ઉદયે કોટક કેપિટલ મેનેજમેન્ટ ફાઈનાન્સ લિમિટેડની શરૂઆત કરી, જે એક નાણાંકીય સલાહકાર તરીકે ફરજ બજાવશે અને જે પાછળથી કોટક મહિન્દ્રા ફાઇનાન્સ લિમિટેડ બની,

ઉદયને ભારત જેવા વિકસતા બજારમાં બૅકિંગ ઉદ્યોગનું મહત્વ અને આ ક્ષેત્ર પર સરકારનું કડક નિયંત્રણ સમજાયું, બિન-બેંકિંગ ક્ષેત્રમાં સેવા પ્રદાતા તરીકે પોતાને નિશ્ચિતપણે સ્થાપિત કર્યા પછી, તેઓ બેંન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માંગતા હતા. તેમણે અવલોકન કર્યું કે આ ક્ષેત્ર માલિકીની બેંકો દ્વારા નિયંત્રિત છે. અને નિયમનકારી મંજૂરીઓને કારણે નવી શાખાઓ ખોલવામાં મૂડી વિદેશી બેંકોની લાચારી પણ છે.

સેન્ટ્રલ બેંકે 2009 સુધી કોઈપણ વિદેશી બેંકોને સ્થાનિક બેંકોના 5% કરતા વધુ હસ્તગત કરવા માટે અવરોધ કર્યો હોવાથી, તેમની બેંક તેનો બજાર હિસ્સો સરકારી બેંકોનાં ખર્ચે મેળવશે. તેથી કોટકે આરબીઆઈ સાથે બેંકિંગ લાયસન્સ માટે અરજી કરીને બેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું અને અંતે 2003માં તે મંજૂર કરવામાં આવ્યું.

 બેંકિંગ લાયસન્સે ઉદયને એક મંચ પરથી ઓછામાં ઓછા છ જુદા જુદા વ્યવસાયો ચલાવવાની મંજૂરી આપી. પછીનાં થોડા વર્ષોમાં, કોટકે તેના નાણાકીય સલાહકાર વ્યવસાયને નાણાકીય સેવાઓના વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યસભર બનાવ્યો, જેમાં રોકાણ બેન્કિંગ, બિલ ડિસ્કાઉન્ટિંગ, સ્ટોક બ્રોકિન્ગ, મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમો અને કાર ફાઈનાન્સમાં આગવી હાજરી સ્થાપિત કરી. 

ઉદયે કરેલ આગાહી મુજબ “ભારતમાં નાટકીય પરિવર્તન આવ્યું છે. બચતકારોનું આ રાષ્ટ્ર રોકાણકારો અને ખર્ચ કરનારાઓના રાષ્ટ્રમાં ફેરવાઈ ગયું છે. બેંકર માટે તે ઍક વિસ્ફોટક તક હતી, કોટક મહિન્દ્રા એક્માત્ર નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની હતી જેણે 2003માં RBI તરફથી બેન્કિંગ લાઇસન્સ મેળવ્યું હતું.

વર્ષ 2004માં ઈન્ડિયા ગ્રોથ ફંડ નામનું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ શરૂ કર્યુ. તેણે 2005માં રિયલ એસ્ટેટ ફંડ પણ શરૂ કર્યું. ઉદયે 2008માં પેન્શન સ્કીમ હેઠળ પેન્શન ફંડ શરૂ કર્યું. ઉદય કોટકે 2009માં અમદાવાદ કોમોડિટી એક્સચેન્જમાં એન્કર ઇન્વેસ્ટર તરીકે પ્રવેશ કર્યો. તેણે 2009માં કોટક મહિન્દ્રા બેંકની દુબઈમાં પ્રતિનિધિ ઓફિસ ખોલી, 2010 માં, ઉદયને બિઝનેસ વર્લ્ડ દ્વારા "મોસ્ટ વેલ્યુએબલ સીઇઓ" થી નવાજવામાં આવ્યા હતા. 2014 માં, કોટકે બિલ- ડિસ્કાઉન્ટિંગ વ્યવસાયને નાણાકીય સેવાઓના સમૂહમાં રૂપાંતરિત કર્યો અને 1270 થી વધુ શાખાઓ સાથે માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ભારતની 2જી સૌથી મોટી શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક બની. 2015 માં, કોટક મહિન્દ્રા બેંક ટેલ્કો જાયન્ટ એરટેલ સાથે ભાગીદારી કરી હતી અને નાની પેમેન્ટ બેંક શરૂ કરવા માટે જનરલ ઇન્સ્યોરન્સ સાહસ કર્યું હતું. ઓગસ્ટ 2019માં તેઓ 27 લાખના માસિક પગાર સાથે કોઈપણ ભારતીય બેંકના સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ પૈકીના એક હોવાનું નોંધાયું હતું. ઉદય કોટક તેમના નિશ્ચય અને મહેનતથી એક સફળ બેંકર તરીકે ઉભરી આવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમના વ્યવસાયિક મૂલ્યો તેમનામાં સ્થાપિત મધ્યમવર્ગના મૂલ્યો અને સામાન્ય સમજમાંથી આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગળ જતાં, બેંકોએ ત્રણ મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ - સમજદારી, સરળતા અને નમ્રતા. 

સ્રોત: ગુજરાત ગાર્ડિયન ( રીમા સંવિત પારેખ)


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top