વલસાડના સરોધી પ્રા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષી શાળમાં અભ્યાસ કરતા ૧૪૦ બાળકોને ૮૦૦ પતંગનું વિતરણ કર્યું હતું.
વલસાડના સરોધી ગામની પ્રા. શાળામાં અભ્યાસ કરીને પગભર થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આનંદભાઈ પટેલ અને હાર્દિકભાઈ પટેલ અને સરોધીના મહારાજા ગ્રૂપ દ્વારા શાળમાં અભ્યાસ કરતા ૧૪૦ વિદ્યાર્થીઓને ૮૦૦ પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગામના રહીશ સુરેશભાઈ પટેલ દ્વારા તમામ બાળકોને તલના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓના પતંગ વિતરણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કરશનભાઈ ટંડેલ, એસ.એમ.સી.ના સભ્યો તથા વાલીઓ હાજર રહ્યા હતા.