ખેરગામ તાલુકાના નારણપોર શાળામાં ગામના અગ્રણીઓ દ્વારા પતંગનું વિતરણ કરવામાં આવ્યું.

SB KHERGAM
0

 

ખેરગામ તાલુકાના નારણપોર શાળામાં ગામના અગ્રણીઓ દ્વારા પતંગનું વિતરણ કરવામાં આવ્યું.

ખેરગામ તાલુકાના નારણપોર ગામના આગેવાન ખુશાલદાદા અને નિવૃત્ત કેળવણી નિરીક્ષક શંકરભાઈ પટેલ દ્વારા મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષી શાળમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ૫-૫ પતંગનું વિતરણ કર્યું હતું. 

આ સેવાકાર્ય તેઓ વર્ષ ૨૦૨૦ થી સળંગ કરતા આવ્યા છે. તેમજ શાળાના કોઈ પણ કાર્યના મદદ  માટે તેઓ હંમેશ પ્રયત્નશીલ રહે છે.

 શાળાના વિદ્યાર્થીઓના પતંગ વિતરણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દિવ્યેશકુમાર ચૌહાણ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. નારણપોર શાળા પરિવાર ખુશાલદાદા અને  શંકરભાઈ પટેલના આ સરાહનીય સેવાકાર્ય માટે આભારની લાગણી વ્યક્ત કરે છે.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top