ખાનવેલના આંબોનીપાડા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં તારપા સંગીત વાદ્ય આકર્ષણનું કેન્દ્ર.
તા.01/12/2023 ના દિને ખાનવેલ (આંબોનીપાડા)તલાવડી રોડ,સેલવાસ દાદરાનગર હવેલી ખાતે વાંસદાના માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક યુવાનો દ્વારા તારપા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ કાર્યક્રમમાં જળ જંગલ જમીનને બચાવવા માટેની ખાસ ચર્ચાઓ કરવામાં આવી.
જેમાં વાંસદા તાલુકા પ્રમુખશ્રી નિકુંજભાઈ, ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ, મોહના કાઉચાળી સરપંચશ્રી દેવુ મોકાસી,કપરાડા તાલુકા સભ્યશ્રી કુંજાલીબેન,નાની તંબાડી ગામના ભાઈલુંભાઈ અને એમના સાથી મિત્રો, કાકડકુવા ગામના તરલભાઈ અને એમના સાથી મિત્રો,ગડી ગામના આગેવાન ચેતનભાઈ,ટુકવાડા ગામના માજી સરપંચશ્રી અશ્વિનભાઈ,વારોલી તલાટ ગામના આગેવાન ધીરુભાઈ અને સ્થાનિક યુવાનો બહેનો અને વડીલો હાજર રહ્યા હતા.