Gandhinagar: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ 'ઘોરડો' ને પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.
26 જાન્યુઆરીએ ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખીનું નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે. જેની સત્તાવાર માહિતી ફેસબુકની ગુજરાત ઇન્ફોર્મેશન પેજ પર આપવામાં આવી છે.
રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ધોરડોના ''ભૂંગા'' તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, ''રણ ઉત્સવ'', ટેન્ટ સિટી અને યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' સમા ગરબા બનશે ઝાંખીના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર.