માછીઆવાસણ વિદ્યામંદિરની વિદ્યાર્થીની વાર્તા નિર્માણમાં ઝળકી.

SB KHERGAM
0

  

માછીઆવાસણ વિદ્યામંદિરની વિદ્યાર્થીની વાર્તા નિર્માણમાં ઝળકી.

જીસીઇઆરટી ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત નિપુણ ભારત અંતર્ગત ઝોન કક્ષાના વાર્તાકથન/ વાર્તા નિર્માણ સ્પર્ધામાં ગણદેવી તાલુકાના માછીઆવાસણ વિદ્યામંદિરમાં ધો ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઝીલ નટવરભાઈ પટેલે દ્વિતીય ક્રમ  પ્રાપ્ત કરી નવસારી જિલ્લા સહિત શાળા તેમજ ગામનું નામ ગૌરવવંતુ કર્યું હતું.

આ સિદ્ધિ બદલ ગણદેવી તાલુકા સદસ્યા ગીતાબેન પટેલ,વિકાસ મંડળ પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ નટવરભાઈ, સભ્યો, આચાર્ય ભૂપેન્દ્ર ખલાસી સહિત ગ્રામજનોએ ઝીલને ભવિષ્યમાં લેખનની દુનિયામાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વાર્તા નિર્માણમાં સફળ માર્ગદર્શન આપનાર શિક્ષક ભાવેશભાઈ ખલાસી અને શાળા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top