ખેરગામ તાલુકાના ધામધૂમા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
જેમાં છેવાડાના ગામો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડી અંત્યોદય કલ્યાણના ધ્યેયને સાર્થક કરવા અર્થે આયોજિત "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત ખેરગામ તાલુકના ઘામઘુમા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને યોજનાકીય લાભોની માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી.વિરાણી સાહેબ, ખેરગામ તાલુકા મહામંત્રી લીતેશભાઈ ગાંવિત સહિત વિવિધ શાખાના અધિકારીશ્રીઓ એમની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા અને મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહયા.