ધરમપુર શહેર ખાતે ડો બાબા આબેડકર ચોક પાસે આબેડકર ની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ સંવિધાન દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ.

SB KHERGAM
0

 

ધરમપુર શહેર ખાતે ડો બાબા આબેડકર ચોક પાસે આબેડકર ની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ સંવિધાન દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ.

ધરમપુર તા ધરમપુર શહેરના મ્યુઝિયમ ત્રણ રસ્તા પાસે આવેલા બાબા આબેડકર ચોક પાસે આજરોજ ધરમપુર આદિવાસી સમાજનાં યુવા આગેવાનો કલ્પેશ પટેલ તથા યોગેશભાઈ પટેલ કમલેશભાઇ પટેલ સહિત યુવાનો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ બાદ સંવિધાન દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી.

ત્યારબાદ તા પંચાયતનાં સદસ્ય કલપેશ પટેલે જણાવ્યું હતું કે ડો બાબા આબેડકરનાં બનાવેલાં સંવિધાનને કારણે આદિવાસી સમાજ આજે અડીખમ ઉભો છે અને જેનાં કારણે સમાજને આરક્ષણ સહિત અનેક કાયદાઓ અમલમાં મૂકતાં ગામમાં પંચાયત પેશા એકટ કાયદો તથા રૂઢી ગ્રામસભા સહિતનાં કાયદાઓની જોગવાઈ તથા આદિવાસી સમાજને આરક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી આજે આદિવાસી સમાજ બાબા આબેડકર સાહેબનું રુણી છે એમ કહી સંવિધાનનાં દિવસે બાબા સાહેબ આંબેડકરને યાદ કરી આદિવાસી સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top