શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ આયોજિત રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી તારીખ ૨૮-૧૦-૨૦૨૩નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેરગામ તાલુકાનું યુવાધન આ કાર્યક્રમમાં જોડાઈને સહયોગ આપે તેવી શ્રી જનતા કેળવણી મંડળના હોદ્દદારો દ્વારા અપીલ કરવામાં આવી છે.
તમે જે રક્તદાન કરો છો તે કોઈને જીવનમાં બીજી તક આપે છે.
રક્તદાન શિબિર
તારીખ : ૨૮-૧૦-૨૦૨૩
વાર : શનિવાર
સમય : ૯:૦૦ કલાકે.
સ્થળ : જનતા માધ્યમિક શાળા, ખેરગામ.
તાલુકો : ખેરગામ, જી. નવસારી.
પ્રમુખશ્રી : શ્રી અરવિંદભાઈ એન. પટેલ
ચેરમેનશ્રી : શ્રી શશીકાંતભાઈ એ. પટેલ
મંત્રીશ્રી : શ્રી મુસ્તનશીર એન. વ્હોરા
આચાર્યશ્રી: શ્રી ચેતન કે. પટેલ અને શાળા પરિવાર.