તારીખ :૧૦-૦૧-૨ ૦૨૪નાં દિને વિદ્યામંદિર સાદકપોર પ્રાથમિક શાળા દ્વારા M.K . ફાર્મ નર્સરીમાં શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો,S.M.Cના સભ્યો, ગામજનો, સાદકપોર કેન્દ્ર શાળા પરિવાર, વગેરે માટે વનભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા વનભોજનની સાથે સાથે બાળકોને ફાર્મ નર્સરી મુલાકાત અને રમતગમતનો આનંદ વિદ્યાર્થીઓએ માણ્યો હતો. બહોળી સંખ્યામાં આ વનભોજનમાં સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જે બદલ આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શાળા પરિવાર સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ પટેલ અને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.