મતદાર યાદી સુધારણા માટે આજે છેલ્લો દિવસ.
૧૦:૦૦ કલાકથી ૫:૦૦ કલાક સુધીમાં બુથ પર નોંધણી કરી શકશે.
રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે શનિવાર છેલ્લો દિવસ છે. જેને લઈ ખેરગામ વહીવટી તંત્રે ૧૮ થી ૧૯ વર્ષના નવા મતદારોને મતદાન યાદીમાં આવકારવા માટે સફળ આયોજન કર્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ગણદેવી મત વિસ્તારમાંથી અને વાંસદા મત વિસ્તારમાં ખેરગામ તાલુકાનાં સમાવિષ્ઠ ગામોમાં એક પણ નવા મતદાર ના રહી જાય તેને લઈ અનેક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન દરેક ગામમાં મતદાન અને મતદાર વિષે વિશેષ માહિતી મળી રહે એ હેતુસર સ્ટોલ ઉભા કરવામાં આવેલ હતા.
યાદી સુધારણા કાર્યક્રમમાં સ્થળ પણ નવા મતદારો માટે અરજી ફોર્મ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેરગામ મામલતદાર સાથે ચૂંટણી વિભાગના નાયબ મામલતદાર સહિત તંત્રની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન અચૂક હાજરી જોવા મળી હતી.