વાંસદા તાલુકા ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી ઉજવણીની સાથે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.
સુશાસન દિવસ એટલે કે સ્વર્ગીય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નવસારી જિલ્લા દ્વારા વાંસદા તાલુકા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી, સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું જેમાં જિલ્લા ઉપ પ્રમુખ શ્રી વિરલભાઈ વ્યાસ, વાંસદા તાલુકા મહામંત્રી રાકેશભાઈ શર્મા, કિશાન મોરચા ઉપપ્રમુખ શ્રી ભૂપેનભાઈ, રાજેશભાઈ ગાંધી, નટુભાઈ, પ્રધ્યુમનસિહ સોલંકી, યુવા બોર્ડ જિલ્લા સંયોજક જીગરભાઈ પટેલ, અતિશભાઈ પટેલ ખેરગામ અને યુવા બોર્ડના સભ્ય હાજર રહ્યા.