ગરીબોના મસિહા અને ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈ અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા.

SB KHERGAM
0

  


ગરીબોના મસિહા અને ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈ અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા.

તમે સૌ જાણતા હશો કે, આજથી ઘણા સમય પહેલા ખજૂર ભાઈની સગાઈ મીનાક્ષી દવે સાથે થઈ હતી. જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે તેમના સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. ફોટા જોઈને લોકોએ આ જોડીને ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા.



ખજૂરભાઈની સગાઈ થઈ ગયા બાદ બધા તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈ મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે રીતી રિવાજ મુજબ 8 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા છે.




ત્યારે હાલમાં તો સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈના લગ્નના ફોટા અને તેમની જાનના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયો અને ફોટા જોઈને સમગ્ર ગુજરાતના લોકો ખજૂર ભાઈને ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top