હવે નાગરિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે ફરિયાદ નોંધાવી શકશે: આઈટી મંત્રી
નવી દિલ્હી: પીટીઆઇ
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (મેઈટી) એક પ્લેટફોર્મ વિકસાવશે જેના પર યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મદ્વારા આઈટી નિયમોના ભંગ વિશે મંત્રાલયને સૂચના આપી શકશે.
“મેઈટી વપરાશકર્તાઓને આઈટી નિયમોના ભંગ વિશે તેને ખૂબ જ સરળતાથી સૂચિત કરવામાં મદદ કરશે અને એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરશે', એમ મંત્રીએ કહ્યું હતું.
સરકાર માટે તે સ્વીકાર્ય છે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તે સામગ્રીને હટાવવાના બદલે તેના પર ડીપફેકનું લેબલ લગાવે. મંત્રાલય એક અધિકારીને નિયુક્ત કરશે જે આઈટી નિયમોના નિયમ 7ને લાગુ કરવા અંગે કામ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું. મેઈટી એક એવું પ્લેટફોર્મ મૂકશે જેના પર નારાજ થયેલા લોકો સહેલાઈથી ભંગ અંગે મંત્રાલયને જાણ કરી શકશે. સાથે જ એક પદ્ધતિ વિકસીત કરાશે જે એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરશે.
તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. ચંદ્રશેખરે કહ્યું, “આજથી આઈટી નિયમોના ભંગ માટે ઝીરો ટોલરન્સ છે.” એફઆઈઆર મધ્યસ્થી સામે નોંધવામાં આવશે અને જો તેઓ વિગતો જાહેર કરે છે કે સામગ્રી ક્યાંથી આવી છે, તો પછી સામગ્રી પોસ્ટ કરનાર સંસ્થા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે, એમ મંત્રીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, આઈટી નિયમો મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમના ઉપયોગની શરતોને આ મુજબ સુધારવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.