Mahisagar : મહીસાગર જિલ્લા આચાર્ય સંઘ અને મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક અને વહીવટી સેમીનાર યોજાયો.
તારીખ ૨૫-૦૨-૨૦૨૪નાં દિને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોહિલના મુવાડા ગામે ઈન્ફીનીટી સ્કૂલ ખાતે મહીસાગર જિલ્લા આચાર્ય સંઘ અને મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક અને વહીવટી સેમીનારમાં ડૉ.કુબેર ડિંડોર સાહેબ ઉપસ્થિત રહી શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સૌએ સાથે ભેગા મળી ગુજરાતના શિક્ષણને અગ્રહરોળમાં લઇ જવા માટે મનન-ચિંતન કર્યું અને આ સેમિનારમાં સૌ શિક્ષણપ્રેમીઓ દ્વારા ડૉ. કુબેર ડિંડોર સાહેબનું સ્વાગત અને સન્માન કરવા બદલ તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં પંચમહાલના સંસદ શ્રી રતનસિંહજી રાઠોડ,ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ પી. પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,ભાજપા જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા,મુખ્ય વક્તા દિનેશભાઇ સેવક,અન્ય મહાનુભાવો,ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પદાધિકારીઓ,મહીસાગર જિલ્લા આચાર્ય સંઘના સૌ હોદ્દેદારો અને તાલુકા ઘટક સંઘના સૌ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.