વાંદરવેલા દિવાળીનો મેળો : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંદરવેલા ગામે વર્ષોથી કાળી ચૌદશને દિવસે મેળો ભરાય છે. દિવાળીના મેળામાં ઘેરીયા નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળો હોય એટલે કાગળ કે પ્લાસ્ટિકની ચકરડી વેચાતી હોય જે હવા દ્વારા ફરે છે. વાંસળી વાળો હોય. ચકડોળ હોય, સિંગ - સિંગોડા હોય, શેરડીના રસ વાળો હોય, ફટાકડા વાળા હોય, જલેબી, ભજીયા , બુંદી વગેરે મીઠાઈઓ , કપડાંને અવનવી નોવેલટી વસ્તુઓ વેચાતી હોય છે. દરેકના નાના નાના વિડીયો લઈ દિવાળીના મેળા ની યાદો કેમેરામાં કંડારી લીધી છે.
Video credit: amu adivasi (facebook)