વડોદરા ખાતે બનેલ કરુણામય દુર્ઘટના બાબતે તપાસના આદેશ.
વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. જોકે, ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં 12 બાળકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 10 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ છે.