શહિદ સૈનિકો, સ્વ પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોને સુરતના સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ મળશે.

SB KHERGAM
0

 શહિદ સૈનિકો, સ્વ પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોને સુરતના સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ મળશે.

વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વસવાટ કરતા શહિદ સૈનિકો, પૂર્વ સૈનિકો અને  સ્વ. પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતના સરથાણા ખાતે શૈક્ષણિક સંસ્થા ગૌરવ સેનાની ભવનમાં સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના માતા-પિતાએ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી સવેળા અત્રેની કચેરીને મળી રહે તેમ નમૂના મુજબનું એડમિશન ફોર્મ મેળવી લેવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દિવ્યેશ સી. મુરલીવાલા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ટેલિફોન નં.૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

સ્રોત : માહિતી બ્યુરો: વલસાડ તા.૦૧ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top